જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સામે જામનગર સહીત રાજ્યભરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 40થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત જાણીતા વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં પણ મુખ્ય આરોપી તરીકે તેમની સંડોવણી સામે આવી હતી. આ સિવાય પણ અનેક ગુનાઓમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જોકે વકીલ જોશી જેલમાંથી છૂટી વિદેશ ભાગી ગયો હતો. ત્યારે હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.
જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ UKમાં હોવાનું ખુલ્યું
જયેશ પટેલે હપ્તાખોરી માટે કરેલા ફોન ટ્રેસ કરીને જાણવા મળ્યું
જયેશ પટેલ પર ગુજરાતભરમાં 40થી વધુ કેસ દાખલ છે
એક બાદ એક જમીન કૌભાંડ આચરીને જયેશ પટેલ માફિયા બની ગયો હતો. જોકે વકીલ કિરીટ જોશીની કાબેલીયતને લઇને જયેશ પટેલને જેલ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું હતું અને આર્થિક ફટકો પણ પડ્યો હતો. જોકે જયેશ પટેલ એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી આપીને વિદેશ ભાગી ગયો હતો. જયેશે જેલમાંથી છૂટ્યા બાદ સોપારી આપીને વિદેશ ભાગી ગયા બાદ વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી હતી. તેવામાં હવે તે UKમાં હોવાનું સામે આવ્યું છે.
જમીન માફિયા જયેશ પટેલ UKમાં છે
ભારતે UKને ગુજરાતના જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલને શોધીને તેની ત્યાં ધરપકડ કરવા દરખાસ્ત મૂકી છે. જયેશ પટેલ વિદેશી ભાગી ગયો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. જયેશ પટેલે હપ્તાખોરી માટે કરેલા ફોન ટ્રેસ કરીને જાણવા મળ્યું છે કે 41 વર્ષીય ગેંગસ્ટર જયેશ UKમાં છુપાયો છે.
રાજ્યભરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 40થી વધુ ફરિયાદ
ગુજરાત પોલીસ મુજબ હત્યા, હપ્તાખોરી, છેતરપિંડી, મની લોન્ડરિંગ જેવા 42 જેટલા ગુનાઓનો આરોપ લાગેલો છે. રાણપરીયા સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થયેલી છે. તો સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આ મુદ્દે કોઈ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. EDએ 2018ના કેસમાં જયેશની 3.97 કરોડની મિલ્કતો જપ્ત કરી છે. થોડા વર્ષોથી જામનગરના બિલ્ડરો પાસે જયેશ ખંડણી ઉઘરાવતો હતો. તે જમીનના દસ્તાવેજોમાં છેડછાડ કરીને તેનું વેચાણ અટકાવી દેતો અને બંને પાર્ટીઓ પાસે રૂપિયા ઉઘરાવતો હતો.
જયેશ પટેલ વિદેશમાંથી પણ ફોન દ્વારા ધાક ધમકી આપીને ખંડણી ઉઘરાવે છે
જયેશ પટેલની ગુનાખોરી સામે કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની હત્યા કરી નાખવામાં આવી હતી છરાના ઘા મારી મારીને તેની ધોળા દિવસે હત્યા કરાઈ હતી. તેના હત્યારાઓએ કબુલ્યું હતું કે તેઓને જયેશે સોપારી આપી હતી. આ ઘટનાને પગલે જયેશ ખોટા પાસપોર્ટથી દેશ છોડીને ભાગી ગયો હોવાનું મનાય છે. તે હજુ પણ UKથી લોકોને ધાક ધમકીઓ આપીને ખંડણી ઉઘરાવે છે પણ લોકોની પોલીસ ફરિયાદ કરવાની હિંમત નથી.