જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આ મામલે જામનગર LCB તપાસ કરી રહી હતી.
આ મામલે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 કરોડમાં જમીન માફિયા જયેશ પટેલે કિરીટ જોશીને મારવાની સોપારી આપી હતી. જોકે હજી સુધી કોન્ટ્રાક્ટર કિલરો ફરાર છે.
શું બની હતી ઘટના..?
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને શહેરના ભરચક ગણાતા ટાઉન હોલ વિસ્તારમાં જ્યોત ટાવરમાં ઓફીસ ધરાવતા ખ્યાતનામ વકીલ કિરીટ જોશીને મોત ને ધાટ ઉતારી દેવામાં આવ્યા છે. બરાબર નવેક વાગ્યાના સુમારે પોતાની ચોથા માળે આવેલ ઓફીસ છોડી. વાકીલ જોશી ઘરે જવા રવાના થયા. નિત્યક્રમ મુજબ રાત્રે નવ વાગ્યે ઓફીસથી ઘરે જવા નીકળે છે.
જ્યોત ટાવરના ચોથા માળની બિલ્ડીંગ છોડી વકીલ જોશી લીફ્ટ વાટે નીચે આવે છે. જેવા પોતાની ગાડી તરફ ચાલતા થયા કે બાઈક પર આવેલ બે પૈકેના એક શખ્સે વકીલ પર છરી વડે હમલો કરી દીધો. વકીલ બચાવમાં એક-બે ઘાની સામે પ્રતિકાર કાર્યા પણ હત્યારા શખ્સના ઉપર ઉપરી પ્રહારને લઈને જોશી નીચે પડી ગયા.
તે પૂર્વે આરોપીએ છરીના એક ડઝન ઘા શરીરના ભાગે કરી દીધા. વકીલ નીચે ઢળી પડ્યા બાદ પણ આરોપીએ વધુ એકાદ ડઝન પ્રહાર કરી. બાઈક લઇ વાટ જોતા સખ્સની પાછળ બેસી ઘટના સ્થળ છોડી નાસી જવામાં સફળ રહ્યા હતા.