જામનગરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીરતાથી ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા દિપેન ભદ્રનને SP જામનગર તરીકે મુકાયા બાદ આજે વધુ 2 પીઆઇની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડર કરવામાં આવી છે.
જામનગરમાં વધુ બે PIની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડર
એસ.પી. તરીકે દિપેન ભદ્રનની નિમણૂંક બાદ વધુ એક આર્ડર
આણંદના PI કે.જી.ચૌધરીને જામનગર મુકાયા
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના PI જામનગર મુકવામાં આવ્યા છે. આ બંન્ને પીઆઇની જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની પોલીસ બેડામાં ચર્ચા પણ ચાલી રહી છે.
SP પોતાની વિશ્વાસુ ટીમ સાથે મેદાને ઉતરે તેવી પ્રબળ સંભાવના
ઉલ્લેખનીય છે કે, SP પોતાની વિશ્વાસુ ટીમ સાથે મેદાને ઉતરે તેવી પ્રબળ સંભાવના સેવાઇ રહી છે. તો જમીન માફિયા જયેશ પટેલનો ગાળિયો કસાતો હોવાની આશંકા છે. નોંધનીય છે કે, જયેશ પટેલ સામે જમીન કૌભાંડ, હત્યા સહીતના 40 ગુનાઓ નોઁધાયેલા છે.
પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને ભદ્રનના નિર્ણયને આવકાર્યો
રાજ્યસભાના MP, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મુકેશ અંબાણીના નિકટના ગણાતા પરિમલ નથવાણીએ ગુજરાત કેડરના IPS અધિકારી દિપેન ભદ્રનને અમદાવાદ ક્રાઈમમાંથી બદલીને જામનગર SP તરીકે મુકતા આ નિર્ણયને આવકાર્યો છે. પરિમલ નથવાણીએ કહ્યું છે કે આ નિર્ણયથી જામનગરમાં ગુનાખોરીમાં સારા એવા પ્રમાણમાં સુધારો આવશે.
આ મુદ્દે તેમણે એક સાથે ત્રણ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ દિપેન ભદ્રનને જામનગરમાં SP તરીકે આવકારે છે. તેમનું જામનગરમાં પોસ્ટિંગ થવાથી જામનગરની કાયદાનું પાલન કરતા સામાન્ય લોકો, બિલ્ડરો, જમીનના માલીકો અને ઉદ્યોગ ધંધાના માલિકોને ખૂબ ફાયદો થશે.