હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘો કંઈક વધારે જ મહેરબાન છે પરંતુ કચ્છ અને જામનગર તરફ મેઘાએ હજુ જોયું નથી. ત્યારે આ ગામનાં નાગરિકો વરસાદ ક્યારે આવશે? અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વરતારા પર નહીં પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે અને આ પદ્ધતિ છે રોટલાથી વરસાદનો વરતારો જાણવાની.
હવામાન (weather) ની આગાહી (forecast) નું વિજ્ઞાન ભલે એડવાન્સ બનતું જતું હોય પરંતુ આજે પણ અનેક ગામડાઓમાં વરસાદનાં વરતારા જોવાના તેમના આગવા રીત રિવાજ છે અને આ રિવાજ તેઓ પેઢીદર પેઢી પાળતા હોય છે. જામનગર નજીકનાં આમરા ગામમાં પાંચ-છ સદીઓથી રોટલા (rotla) થી વરસાદ (rain) નો વરતારો જોવાની પરંપરા છે તમને મનમાં સવાલ ઊભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે જાણી શકાય? આ સવાલનાં જવાબ માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ.
વાગતા ઢોલ સાથે ગામલોકોનું જોડાયેલુ આ સરઘસ જોઈને તમારી આંખો કદાચ વરરાજાના શોધવા લાગશે. પરંતુ એ મહેનત ન કરતાં કેમકે આ ઢોલ કોઈનાં લગ્ન પ્રસંગનાં કારણે નથી વાગી રહ્યો. હકીકતમાં આ ઢોલ તો વરસાદનાં આગમનનાં વરતારાને જોવા માટે એક રિવાજને સાથ પૂરાવી રહ્યો છે. અહીં આપણે વાત કરી રહ્યાં છીએ જામનગર નજીકના દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા આમરા ગામની.
હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘો કંઈક વધારે જ મહેરબાન છે પરંતુ કચ્છ અને જામનગર તરફ મેઘાએ હજુ જોયું નથી. ત્યારે આ ગામનાં નાગરિકો વરસાદ ક્યારે આવશે? અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વરતારા પર નહીં પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે અને આ પદ્ધતિ છે રોટલાથી વરસાદનો વરતારો જાણવાની.
તમને થશે કે આ વળી રોટલાથી વરતારાની કેવી રીત હશે અને એવું તો શું થતું હશે કે રોટલાથી વરસાદની માહિતી મળી જતી હશે? આ બધા જ સવાલનાં જવાબ તમને આગળ મળતા રહેશે. પરંતુ હાલમાં તો અમે તમને આ અજબ પ્રથા તરફ આગળ લઈ જઈએ છીએ. અહીં મહિલાનાં હાથે બની રહેલો આ રોટલો જ જાણે તમામ શંકાનું સમાધાન કરવા બની રહ્યો છે અને આ રોટલો જ ગ્રામજનોનું અને ખેતીનું ભવિષ્ય નક્કી કરશે.
આ રોટલો લઈને આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે. જાણે કે ગામમાં ઉત્સવ જેવો માહોલ રચાય છે. ગ્રામજનો નવા કપડાં પહેરીને આ પરંપરામાં સામેલ થાય છે. કુવા કાંઠે આવેલ સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. આખરે આ બધી ઔપચારિકતા તો છે પેલા રોટલાથી વર્તારો કરવા માટેની.
આ પરંપરા પાછળનાં આશયમાં અને એ માટે જ કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને નિભાવે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે અને પછી સંપૂર્ણ વિધિ પરિપૂર્ણ કરીને નક્કી કરેલી વ્યક્તિનાં હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. જેને જોવા માટે ગામ આખું કૂવા કાંઠે ઊમટી પડે છે. રોટલો કૂવામાં પધરાવાય છે કે જે કૂવાનાં જળમાં ડૂબી જાય છે. પરંતુ રોટલો ડૂબતા પહેલા કઈ દિશામાં જાય છે તેનાં આધારે વરસાદનાં પ્રમાણનું અનુમાન કરવામાં આવે છે.
વિજ્ઞાન ગમે તેટલું આગળ નીકળી જાય પરંતુ અનેક ગામડાઓમાં ચોક્કસ રૂઢિ અને પરંપરા સાથે સ્થાનિક લોકોની અસ્મીતા જોડાયેલી હોય છે અને આ રૂઢિ અને રિવાજ જ તેમના લોકજીવનમાં નવી આશા અને ઉમંગ જગાવતા હોય છે. જ્યાં સુધી આવી પરંપરાઓ કોઈનાં માટે નુકસાનકર્તા સાબિત થતી નથી ત્યાં સુધી તે જાળવી રાખવામાં કોઈને પણ વાંધો ન હોઈ શકે.