ગુજરાતમાં જાણે આવારા તત્વોને હવે પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના હાલાર પ્રદેશ ગણાતા જામનગરમાં છેલ્લા પખવાડિયામા બે દૂષ્કર્મની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. ધ્રોલ નજીક ફરવા આવેલા દંપતિને બે અજાણ્યા વ્યક્તિઓએ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે.
જામનગર જિલ્લામા વધુ એક દુષ્કર્મની ફરિયાદ
બે અજાણ્યા વ્યક્તિ સામે નોધાઇ ફરિયાદ
પતિને માર મારી પરણિતા પર આચર્યુ દુષ્કર્મ
જામનગર જિલ્લામાં વધુ એક દૂષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પરણિતા પર દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં બે અજાણી વ્યક્તિઓ પર દૂષ્કર્મ આચાર્યાની ફરિયાદ કરાઇ છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ દંપતિ ધ્રોલ નજીક ફરવા આવ્યું હતું. ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓએ છરી બતાવી દંપતિને રસ્તામાં રોક્યા હતા. ત્યારબાદ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હતું.
જો કે જામનગર જિલ્લામાં એક જ પખવાડિયામાં આ દૂષ્કર્મની બીજી ઘટના સામે આવી છે. દૂષ્કર્મ આચાર્યાની ધ્રોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સળગતો સવાલ
જામનગરમાં આવારા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે?
ક્યાં સુધી મહિલાઓ દુષ્કર્મનો ભોગ બનતી રહેશે?
વારંવાર દુષ્કર્મની ઘટના છતાં પોલીસ કેમ પગલા ભરતી નથી?