ગુજરાતમાં કોરોનાના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. એવામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન તેમનું ધ્યાન રાખવામાં હોસ્પિટલ સ્ટાફની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે. કોરોના વોર્ડમાંથી દર્દીઓનો સામાન ચોરી થઈ જવો એ ખરેખર ભયજનક છે. કેમ કે, ચોરીના સામાનથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. આ બેજવાબદારી સામે હોસ્પિટલો સામે પગલા ક્યારે લેવાશે? આ મતલબનો વીડિયો વાયરલ થયો છે.
જામનગરની જી.જી.હોસ્પિટલ વિવાદમાં આવી
કોરોના સંક્રમિત દર્દીઓની ચીજવસ્તુઓ ચોરાઈ
દર્દીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
સરકારી હોસ્પિટલોની બેદરકારી જરાય ઓછુ થવાનું નામ નથી લેતી. ક્યાં સરકારી હોસ્પિટલોમાં કેદી દર્દીઓ સારવાર દરમિયાન સિગારેટ પીતા જોવા મળે છે તો ક્યાંય નામમાં ગરબળ ગોટાળા જોવા મળે છે આવું જ કંઈક જામનગરની જીજી હોસ્પિટલમાં બન્યુ છે. એક દર્દીએ પોતાની આપવીતીનો વીડિયો વાયરલ કર્યો છે. જે સોસિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી રહ્યો છે ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
જામનગદરની જીજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાંથી દાખલ દર્દીનો સામાન ચોરાઈ ગયો છે. આ પહેલ વહેલી ઘટના નથી. અગાઉ પણ અમદાવાદ અને બીજી સરકારી કોવિડ હોસ્પિટલોમાં આ અંગેની ફરિયાદો અને વીડિયો સામે આવી ચૂક્યા છે. અગાઉ પણ કોરોના વોર્ડમાંથી દર્દીઓનો માલસામાન ચોરાઈ જવા મામલે પોલીસ ફરિયાદો થઈ ચુકી છે.
ગુજરાતમાં હાલ 15996 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખની નજીક પહોંચ્યો છે પરંતુ રાજ્યમાં હાલ 15996 કેસ જ એક્ટિવ છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં ઘણા બધા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રિકવરી રેટ પર 80 ટકાને પાર પહોંચી ગયો છે. જે ખરેખર સારી વાત છે.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 78,070 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 24,09,906 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 78,913 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1310 કેસ જ્યારે 1131 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 78,913 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.73 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરા અને હવે રાજકોટમાં રણ કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 3036 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 72 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત