જામનગરમાં અવારનવાર ધરતીકંપના આંચકા અનુભવાય છે. ગઈકાલે મોડી રાતે પણ જામનગમાં ભૂંકપના આંચકો અનુભવાયો હતો. જો કે આ ભૂકંપની તીવ્રતા સામાન્ય હોવાથી મોટાભાગના લોકોને ખબર પણ નહોતી પડી કે ભૂકંપ આવ્યો હતો.
મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો
રિક્ટર સ્કેલ પર 2.2ની તીવ્રતાનો આંચકો
લાલપુરથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
જામનગરના લાલપુર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે લાલપુર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 2.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. લાલપુરથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતુ. આ ભૂકંપથી કોઈ જાનહાની કે માનહાની થઈ નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના હળવા આતંકા એ ભવિષ્યમાં કોઈ મોટા ધરતીકંપની આગાહી સમાન છે. જો કે છેલ્લા કેટલાક સમયથી નિયમિત સ્વરૂપે જામનગરમાં હળવા કંપનો થતા રહે છે.