જામનગર જિલ્લા પંચાયત સામે બે યુવાનોએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. બેરોજગારી ગુજરાતનો મોટો પ્રશ્ન બની રહી છે. ગુજરાતમાં બેરોજગારીને કારણે વધી રહેલો વિરોધ યુવાનોને કયા રસ્તે લઈ જશે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ ગુજરાત સરકાર બેરોજગારી નિવારવામાં નિષ્ફળ ગઈ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
જામનગર જિલ્લા પંચાયતમાં આત્મ વિલોપનનો પ્રયાસ
2 યુવાનોએ આત્મ વિલોપનનો કર્યો પ્રયાસ
બે યુવાનોની કરાઈ અટકાયત
જામનગર જિલ્લા પંચાયત કચેરીમાં આત્મ વિલોપનનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. બે યુવાનોએ જિલ્લા પંચાયતમાં આવીને આત્મવિલોપનનું પ્રયાસ કર્યો છે. ત્યારે આત્મવિલોપન કરવા આવેલા બન્ને યુવાનોની અટકાયત કરવામાં આવી છે.
કેમ અપનાવી રહ્યા છે આ માર્ગ?
વર્ષ 2016-17માં થયેલ ભરતીમાં ગેરરીતિનોને આક્ષેપ લગાવ્યો છે. ફરિયાદો કરી છતા નિવારણ ન આવતા યુવકોએ આત્મવિલોપનો પ્રયાસ કર્યો છે.
સાથે જ અમાન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્ર પર ભરતી કરાઇ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. ઉમેદવારોએ DDOને પત્ર લખી આત્મવિલોપન ચીમકી આપી હતી.
શું લગાવ્યા છે આક્ષેપ?
આરોગ્ય કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવ્યો છે. અમાન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્ર પર ભરતી કરાઇ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.