જામનગરના કલેક્ટર રવિ શંકરનું ઉદ્ધતાઇ ભર્યું વર્તન સામે આવ્યુ છે. જેમાં ખેડૂતો મુદ્દે રજૂઆત સાંભળવાને બદલે રવિ શંકર ચેમ્બર છોડીને ભાગ્યા. મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાના કેશિયા ગામના ખેડૂતોની સમસ્યાનો મામલો હતો. ખેડૂતો પવનચક્કી અને મીઠાના અગરની સમસ્યા માટે રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે કલેક્ટરે ખેડૂતોને સાંભળવાને બદલે લેખિતમાં જવાબ માગ્યો હતો. તેમજ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાની વાત સાંભળવાને બદલે તેઓએ ચેમ્બર છોડી દીધી હતી. મહત્વનું છે કે,અગાઉ પણ જામનગરના કલેકટર રવિ શકંરે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યની સામે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું. જેને લઈને તેઓ વિવાદમાં આવી ચુક્યા છે.