જામનગર મનપાના કર્મચારીઓના મતદાન વિવાદનો મામલે કલેક્ટર દ્વારા નિર્ણય કરાયો છે. હોમગાર્ડના જવાનોને મતદાન ભાજપ તરફી મતદાન કરાવ્યાનો વિવાદ સર્જાયો હતો. જે બાદ કોંગ્રેસ દ્વારા આક્ષેપો અને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના વાંધા બાદ કલેક્ટર દ્વારા રદનો નિર્ણય કરાયો છે. અંદાજે 400 જેટલા મત રદ કરી ફરી મતદાન કરાશે. જે બાદ ફરીથી મતદાન કરાવવામાં આવશે.
MLA વિક્રમ માડમે તંત્ર અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. માડમે કહ્યું કે, તંત્ર અને ભાજપ સાથે મળી લોકશાહી ખતમ કરી રહી છે. FIR નોંધવામાં આવશે નહીં તો, ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.