ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં કોરોનાની સારવાર માટે દર્દીઓ બેડની રાહમાં ઉભા છે ત્યારે, જામનગરમાં ખુદ કલેક્ટરે કહ્યું, આગામી 5 દિવસ સુધી કોઈ જગ્યા નથી
જામનગરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર લાચાર
જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી જાહેરાત
હાલમાં અમારી પાસે કોઇ બેડ ખાલી નથીઃ કલેક્ટર
જામનગરમાં કોરોના સંક્રમણ સામે તંત્રની લાચારી સામે આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં અમારી પાસે કોઇ બેડ ખાલી નથી.
1400 બેડ ધરાવતી જી.જી.હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગઇ છે. અમે બેડ વધારવાની કામગીરી કરી રહ્યાં છીએ. 5 દિવસ સુધી કોઇ જગ્યા નથી. આમ જોઇએ તો કોરોના મહામારીમાં તંત્રની અવ્યવસ્થા સામે આવી છે. જામનગર કલેક્ટરનો એક મેસેજનો ફોટો વાયરલ થયો છે. જો કે, તેની કોઈ પુષ્ટી કરતા નથી. પરંતુ પરિસ્થિતિ તો લોકો જોઈ જ રહ્યા છે. અને દર્દીઓ પણ લાઈનમાં ઉભા રહીને પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે.
જામનગરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ 300 દર્દીઓ નવા ઉમેરાઇ રહ્યાં છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. 1200 બેડની હોસ્પિટલ ફુલ થતા તંત્રએ અન્ય વોર્ડને કોરોના વોર્ડમાં ફેરવી વધુ 150 બેડની વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ વેન્ટિલેટરની અછત ઉભી થતા વધારે 150 વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા છે. શહેરની અન્ય સાત ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઇ ગઇ છે.
રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશનને લઇ જિલ્લા કલેક્ટરે નવો નિર્ણય કર્યો છે. હોમ આઇસોલેટ દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનની સુવિધા પૂરી પડાશે. દર્દીનું આધારકાર્ડ, રિપોર્ટ અને ડોકટરનું પ્રિસ્કિપ્શન રજૂ કરવાનું રહેશે. ડૉક્યુમેન્ટ હેલ્પલાઇન નંબર પર મોકલવાના રહેશે. જે બાદ રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટર અથવા તેમના પ્રતિનિધિને જ અપાશે.