રાજ્યમાં વધી રહેલા ક્રાઇમના રેશિયામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે જામનગરમાં એક બિલ્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરમાં ફાયરિંગના સમાચાર વાયુવેગે ફેલાતાં અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને આગળની તપાસ હાથ ધરી છે.
જામનગરમાં બિલ્ડર પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ
બિલ્ડરે પ્રતિકાર રૂપે સામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
જમીન પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન
જામનગરમાં બિલ્ડર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા બિલ્ડરે તેનો બચાવ કરાત સામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગમાં કોઇના ઇજા નથી પહોંચી. જમીના વિવાદમાં ફાયરિંગ થયું હોવાનું મનાઇ રહ્યું છે.
જો કે આ ઘટનાની જાણ થતાં SP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. ગત વર્ષ પ્રોફેસર પર થયેલા ફાયરિંગ પ્રકરણના તાર આ ઘટનાથી જોડાયેલા હોય તેવું પોલીસ માની રહી છે.