તાજેતરમાં જ રાજ્યમાં બર્નીંગ ઈશ્યુ માસિક ધર્મ. ભુજમાં શિક્ષણ સંકુલમાં વિદ્યાર્થીનીઓ સાથે માસિક ધર્મને લઈને થઈ રહેલા વર્તનને પગલે વિરોધ અને બચાવ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યએ એવું સુચક નિવેદન આપીને ઈનડાયરેક્ટલી સ્વામિનારાયણ સંપ્રદાયને સપોર્ટ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.
સરકારી શાળાઓમાંથી વાલીઓનો ઊઠી રહ્યો છે વિશ્વાસઃ રાઘવજી
ખાનગી સંસ્થાઓ શિક્ષણના નામે ધંધો કરે છેઃ રાઘવજી
ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે શિક્ષણ વ્યવસ્થાને લઇ સૂચક નિવેદન કર્યું. જામનગરમાં શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે હાલ શિક્ષણ અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે. જેમાં એક છે સરકારી શિક્ષણ અને સરકારી શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે.
શું કહે છે ધારાસભ્ય
હાલ શિક્ષણ અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે. જેમાં એક છે સરકારી શિક્ષણ અને સરકારી શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે. બીજુ શિક્ષણ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ શરૂ કરે છે અને તેઓ સારું શિક્ષણ આપે છે. અને ત્રીજુ ધંધાદારી લોકો પણ શિક્ષણ સંસ્થાઓ ખોલે છે. અને માત્ર ધંધો કરવાના ઇરાદાથી આ પ્રવૃત્તિ કરે છે
ઉઠી રહ્યા છે પ્રશ્ન
ભાજપના ધારાસભ્ય ઈનડાયરેક્ટલી કેમ સ્વામિનારાયણને કરી રહ્યા છે સપોર્ટ?
શિક્ષણ સંસ્થાઓ જાગૃતિ માટે હોય છે ન કે અંધશ્રદ્ધા ફેલાવવા?