આમતો ગણપતિદેવને વિધ્નહરતા તરીકે પૂજવામાં આવે છે, પણ આધુનિક યુગમાં ગણપતિ પૂજન અને લોકોની આસ્થા ક્યાંકને કયાંક પર્યાવરણને નુકસાન પહોચાડી રહી છે. ખુદ વિધ્નહર્તાને માનવી પેટે વિધ્નકરતા તરીકે પ્રસ્થાપિત કરી રહ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસના વધી રહેલા પ્રદુષણને લઈને દર વર્ષે ઇકો ફ્રેડલી ગણપતિનું સ્થાપન અને વિસર્જન આજના સમયની માંગ છે. ત્યારે જામનગરમાં પણ કેટલાક કારીગરો પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઇકો ફ્રેડલી મુર્તિ તૈયાર કરે છે. પ્રકૃતિના રક્ષણ માટે જામનગરના યુવા કલાકારોએ માટીની મુર્તિ તૈયાર કરી છે.
ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરી બનાવી મૂર્તિ
અગાઉ પીઓપીની મુર્તિઓનો ઉપયોગ ગણેશ ઉત્સવમાં વધુ થતો, પરંતુ પર્યાવરણને બચાવવા માટે ઈકોફેલ્ડલી ગણેશ મુર્તિની માંગ રહે છે. તો અનેક કારીગરો પણ માત્ર ઇકો ફ્રેડલી ગણેશની મુર્તિઓ તૈયાર કરે છે. જામનગર કલાકારોએ ગણેશ ઉત્સવ માટે ખાસ માત્ર માટીની મુર્તિઓ તૈયાર કરી છે. કલાકારે 8 માસમાં દૈનિક 10થી 12 કલાકની મહેનત કરીને નાની-મોટી આશરે 4000 મુર્તિઓ તૈયાર કરી છે. જે તમામ મુર્તિઓ ઇકો ફ્રેડલી ગણેશની મુર્તિ બનાવવામાં આવી છે. મુર્તિ માટે ખાસ ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બુટવો માટી, ખેતરની કાળી માટી અને થાનની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુર્તિમાં ખાસ વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ કરતા સંચાલકો વર્ષોથી ઇકો ફ્રેડલી ગણેશની મુર્તિ લેવાનો આગ્રહ રાખે છે. જે માટે હાલ રૂપિયા 400થી લઈ 8000 રૂપિયા લોકો ચુકવે છે. માટીની મુર્તિ હોવાથી તેના વિસર્જન બાદ પર્યાવરણને નુકશાન થતુ નથી.
પર્યવરણને બચાવવાપ્રયાસ
ધર્મની અને ઉત્સવની આસ્થા પૂર્વક ઉજવણી કરવી એ આપણી પરંપરા છે, પરંતુ જાણે-અજાણે આપને એ જ ઉત્સવની ઉજવણીમાં ઘણી વખત પર્યવરણને નુકસાન કરતા આવ્યા છીએ. જેમનો ગણપતિ ઉત્સવ એક છે. વિધ્નહર્તા પ્રત્યેની શ્રધ્ધાએ દરેક ભાવિક માટે આદર હોય છે, પણ સાથે સાથે પ્રકૃતિનું રક્ષણ કરવુંએ પણ આપણી ફરજ છે. ગણપતિ ઉત્સવ દરમિયાન અનેક પંડાલોમાં પ્લાસ્ટર ઓફ પેરિસની વિશાળ મૂર્તિઓ લગાવાય છે, પરંતુ આ મૂર્તિઓના વિસર્જન બાદ પણ વિસર્જિત થતી નથી. અર્થાત એ પ્રકૃતિ સાથે ભળી જવાને બદલે પર્યાવારને જ પ્રદુષિત કરે છે. દર વર્ષે પીઓપીની મૂર્તિઓના વધતા જતા પ્રમાણ વચ્ચે જામનગરના આ કારીગરની ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ મનભાવન તો છે જ પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોચાડતી નથી. અનેક સહેરીજાનો આ મૂર્તિઓનું સ્થાપન કરી મંગલ મૂર્તિની આરાધના કરીને પર્યવરણને બચાવવા બિરદાવવા લાયક પ્રયાસ કરે છે.
હજુ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ પ્રથમ તબ્બ્ક્કામાં છે. કેમ કે આ વર્ષે પણ પીઓપી મૂર્તિઓનું માર્કેટ તરફ ભાવિકોનો જોક છે, પરંતુ જો દુંદાળા દેવ પ્રત્યેની શ્રધ્ધા અને પર્યાવરણના રક્ષણની બેવડી જવાબદારી નિભાવી એક સંપૂર્ણ નાગરિક તરીકેની આપણી ફરજ આપણે પૂરી કરવી જોઈએ. દરેક નાગરિકે ઇકો ફ્રેન્ડલી ગણપતિને પ્રસ્થાપિત અને વિસર્જિત કરવા આગળ આવવું જોઈએ. આ કાર્યની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ.