જામનગરમાં વ્યવસાયે વકિલ યુવાને મહામારીમાં મંદી અને ધંધા-વ્યવસાય બંધ હોવાને કારણે અવિચારી પગલું ભરી મોતને વહાલું કરી લેતા જામનગરના ધ્રોલ તાલુકામાં આંક્રદ છવાયો હતો.
ધ્રોલમાં વકીલે કર્યો આપઘાત
ઘરે ગળેફાંસો ખાઇ મોતને કર્યું વ્હાલું
વકીલ પ્રકાશ ખીમસૂરિયાનો આપઘાત
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અને વિશ્વમાં હાલ કોરોના નામની મહામારીએ અજગર ભરડો લીધો છે તેમાંય છેલ્લા કેટલાય સમયથી ધંધા રોજગાર ઠપ્પ પડ્યા છે. લોકોની બચત વપરાઈ ગઈ છે. માર્ચ મહિનાથી લોકડાઉન કર્ફ્યુના માહોલમાં ઘણા લોકો બેરોજગાર બન્યા છે ત્યારે આ ડિપ્રેશન અને મહામારીમાં ઘણા રોગથી તો ઘણા ડર અને લાચારીથી મૃત્યુ શૈયા પર પોઢી રહ્યા છે ત્યારે જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જામનગર ધ્રોલ તાલુકા મથકે વકીલે મોત વહાલું કરતા ચકચાર મચી ગઈ હતી.
વકીલ પ્રકાશ ખીમસૂરિયાએ આપઘાત વહોર્યો છે. પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવતા ગામ સહિત આખા પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ હતી. છેલ્લા 8 માસથી પ્રકાશ ખીમસૂરિયાનો વ્યવસાય ઠપ્પ રહેતા. તે ગુમસુમ રહેતા હતા. વ્યવસાયની સતત ચિંતા વચ્ચે તેમણે હતાશ થઈને મોતને વહાલું કર્યુ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.