જામનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 વર્ષીય બાળકનું મોત થયું છે. ડોકટરો અને તંત્ર પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ છે.
સમગ્ર ઘટના વિશે નજર કરીયે તો જામનગરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની બેકરદારીના કારણે એક ત્રણ વર્ષિય બાળકનુ મોત થયાની ઘટના સામે આવી છે.
બાળકીના પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરો દ્રારા સમયસર બોટલ ન ચડાવતા અને સંભાળ ન લેતાં બાળકનું મોત થયુ છે. ડોકટરની સૂચનાના 3 કલાક બાદ પણ બાટલો ચડાવ્યો ન હતો. જયારે મૃતક બાળકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈન્કાર કર્યો છે