જામગરમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 6 દિવસમાં ત્રીજી કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા ભરચક સાત રસ્તા સર્કલ પાસે એક યુવાનની હત્યા થઈ છે.
જાહેરમાં છરીના ઘા મારીને દિપક જોઈસર નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારીને નાસી ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલિસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક શખ્સોએ જુની અદાવતમાં યુવાનને છરી મારી તેની હત્યા કરી છે.
શરીરના ભાગે આશરે છ જેટલા ધા મારીને તેની હત્યા કરવામાં આવી છે. પોલિસ પાસે બે જેટલા શંકમદોના નામ સામે સામે આવ્યા છે. પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જામનગરના અલીયા ગામમાં સગા ભાઈએ જ ભાઈ પર હુમલો કર્યો હતો જેમાં છગન પરમાર નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જયારે એક અન્ય હત્યા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે કરવામાં આવી હતી. જેમાં પાંચ શખ્સોએ સમાધાનના બહાને બોલાવી એક શ્રમિક યુવાનની હત્યા કરી હતી. મૃતકનું નામ બહાદુર ગેંદાભાઇ દોડીયાર હતું. મૃતકના ભાઇએ થોડા દિવસ પૂર્વે મહિલાની છેડતી કરી હોવાનું બહાર આવ્યું હતું.