PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાએ સપાટો બોલાવી દીધો છે. કારણ કે સેનાએ બારામુલામાં 4 આતંકવાદીઓ ઠાર કરી દીધા છે તો સુંજવાંમાં એક જવાન શહીદ થયો છે.
જમ્મુના સુંજવાંમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
અથડામણમાં એક જવાન શહીદ અને 4 જવાન ઘાયલ
બારામુલા જિલ્લામાં ગુરુવારે 4 આતંકવાદીઓ ઠાર
PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાએ સપાટો બોલાવી દીધો છે. કારણ કે સેનાએ બારામુલામાં 4 આતંકવાદીઓ ઠાર કરી દીધા છે. જો કે, બીજી બાજુ જમ્મુના સુંજવાં વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે અને 4 જવાનો ઘાયલ થયા છે. જો કે, અથડામણ હજુ પણ શરૂ છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે, હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આતંકીઓ એક ઘરમાં છુપાયેલા છે.
આ સાથે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાંતરુ સહિત 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખીણમાં સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનાર આતંકવાદી કાંતરુ સુરક્ષા દળના અનેક જવાનો અને નાગરિકોની હત્યામાં સામેલ છે અને તેનો કાશ્મીર ખીણમાં ટોચના 10 વોન્ટેડ આતંકવાદીઓમાં સમાવેશ થાય છે.
વધુમાં તમને જણાવી દઇએ કે, જમ્મુ-કશ્મીરના બારામુલામાં ગઇ કાલે વહેલી સવારથી અથડામણચાલી રહી છે ત્યારે આ અથડામણમાં વધુ એક આતંકી ઠાર મરાયો છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 4 આતંકીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા ચારેય આતંકવાદીઓની ઓળખ થઇ છે. માર્યા ગયેલા તમામ આતંકવાદી લશ્કર એ તૈયબાના આતંકી હતાં. જેમાં આકિબ ઠોકર, વસીમ ઠોકરનું એન્કાઉન્ટર કરાયું છે. ફારૂક ભટ અને શૌકીન મીરનું પણ એન્કાઉન્ટર કરાયું છે. જો કે, હજુ પણ એક આતંકી છુપાયો હોવાની આશંકાને લઇ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.
Jammu & Kashmir | One security force jawan martyred and 4 jawans injured in the encounter in Sunjwan area of Jammu.
અથડામણમાં એક અધિકારી અને એક પોલીસકર્મી સહિત ચાર સુરક્ષા દળના જવાનો ઘાયલ
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, કાંતરુને ઠાર કરવો એ સુરક્ષા દળો માટે સૌથી મોટી સફળતા છે. તેઓએ કહ્યું કે, ઉત્તર કાશ્મીરના બારામુલાના માલવાહ વિસ્તારમાં આતંકીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, બાદમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કરતા ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. જો કે, સામે સુરક્ષા દળોએ પણ આતંકીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું કે, અથડામણમાં એક અધિકારી અને એક પોલીસકર્મી સહિત ચાર સુરક્ષા દળના જવાનો પણ ઘાયલ થયા છે.
24 એપ્રિલે ઘટનાસ્થળથી માત્ર 17 કિમી દૂર છે PM મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે અહીંથી 17 કિલોમીટર દૂર પાલી ગામમાં એક સભાને સંબોધિત કરવાના છે. ઓગસ્ટ 2019માં કલમ હટાવ્યા બાદ પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત હશે. અગાઉ, તેમણે 27 ઓક્ટોબર 2019ના રોજ રાજૌરીમાં અને 3 નવેમ્બર 2021ના રોજ જમ્મુ વિભાગના નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.