લોકસભામા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ 2021 ને લીલીઝંડી આપી દેવાઈ છે. સાથે ગૃહમંત્રીએ કહ્યું યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપીશું.
લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પર ચર્ચા
370 કલમ હટાવવાને લઈને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
હિસાબ માગતા પહેલા 70 વર્ષનો હિસાબ તો લાવો!
લોકસભામાં જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઈઝેશ બીલ, 2021 રજૂ કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ઘણા સાંસદોને શંકા છે કે જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઈઝેશ બીલ લાવવાનો અર્થ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે નહીં. પરંતુ મારે સાંસદોના મનમાંથી આ શંકાને દૂર કરવી છે. જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે નહીં તેવું ક્યાંય પણ કહ્યું નથી. સમય આવ્યે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દઈશું.
શાહે ઉમેર્યું કે હું આ ગૃહમાં કહી ચૂક્યો છું અને ફરી વાર જણાવું છું કે આ બીલને જમ્મુ કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જા સાથે કંઈ લેવાદેવા નથી. યોગ્ય સમયે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે.
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જશે
આ બિલમાં એવું ક્યાંય નથી લખ્યું કે આમા જમ્મુ-કાશ્મીરને સ્ટેટહુડ નહીં મળે, હું ફરીથી કહું છું કે, આ બિલનો જમ્મુ-કાશ્મીર સાથે કોઇ જ સંબંધ નથી. યોગ્ય સમયે પ્રદેશને સ્ટેહુડનો દરજ્જો મળી જશે.
'કલમ 370 મામલાને હિંદુ-મુસ્લિમ બનાવી રહ્યા છે ઓવૈસી '
અમિત શાહે કહ્યું, ઓવૈસી જી કલમ 37૦ ના મામલાને હિન્દુ મુસ્લિમ બનાવી રહ્યા છે. વિરોધ માટે બધું હિન્દુ-મુસ્લિમ? શું આપણે દેશના સરકારી અધિકારીઓને હિન્દુ મુસ્લિમોમાં પણ વહેંચીશું? તેનો વિકાસ કેવી રીતે થશે? અધિર રંજન ચૌધરી અમારી સાથે 2 જી અને 4 જી વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસે વર્ષોથી મોબાઇલ સેવાઓ બંધ રાખી. અમારા ઉપર દબાણની વાત છે.