જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળી ચલાવી
સુરક્ષાદળોએ ઘેરાબંધી અને શોધ અભિયાન ચલાવ્યુ
3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે શોપિયાનું ઓપરેશન આની સાથે પુરુ થઈ ગયુ છે. ત્યારે અનતનાગમાં બિજબેહરામાં આતંકવાદીઓની સાથે અથડામણ ચાલી રહી છે. મનાઈ રહ્યુ છે કે ત્યાં 2થી 3 આતંકવાદી છુપાયેલા હોઈ શકે છે.
આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળી ચલાવી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના હાદીપુરમાં આતંકવાદીઓની હાજરની સૂચના મેળવીને સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચલાવતા દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળી ચલાવવા લાગ્યા હતા. આના પર સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હતી.
સુરક્ષાદળોએ ઘેરાબંધી અને શોધ અભિયાન ચલાવ્યુ
અધિકારીઓના જણાવ્યાનુસાર અનંતનાગ જિલ્લામાં એક તરફ અથડામણ જારી છે. તમણે જણાવ્યુ કે દક્ષિણ કાશ્મીરના આ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સેમથાનમાં આતંકવાદીઓની હાજરીમાં ગુપ્ત સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી અને શોધ અભિયાન ચલાવ્યુ . જે બાદ બન્ને પક્ષોની વચ્ચે અથડામણ શરુ થઈ. તેમણે જણાવ્યુ કે વિસ્તુત વિવરણની રાહ છે.
એક મસ્જિદમાં છુપાયેલા 5 આતંકીઓને ઠાર માર્યા હતા
આ પહેલા સુરક્ષાદળોએ શુક્રવારે શોપિયા જિલ્લામાં એક મસ્જિદમાં છુપાયેલા 5 આતંકીઓને ઠાર માર્યા હતા. ત્યારે ગુરુવારે શોપિયામાં જનમોહવ્વા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે મસ્જિદમાં છુપાયેલા આતંકવાદીઓને પહેલા સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતુ. તેમને સમજાવવા માટે તે મસ્જિદના ઈમામ અને એક આતંકીના ભાઈને મસ્જિદની અંદર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આતંકી માન્ય નહોંતા. તેવામાં અનેક કલાકનોની મહેનત બાદ સુરક્ષાદળોએ તમામ 5 આતંકવાદીને ઠાર કર્યા હતા.