જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફ (CRPF) ના એક કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલો પુલવામાના નેવા ગામમાં કરવામાં આવ્યો. આ પહેલા સોમવારે શોપિયામાં સુરક્ષા દળોએ એક ઘર્ષણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા. આ ત્રણેય આતંકીઓ હિજબુલ મુઝાહિદ્દીન સંગઠનના હતા.
પુલવામામાં નેવા ગામમાં થયો ગ્રેનેડ હુમલો
શોપિયામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓેને ઠાર માર્યા
ગ્રેનેડ હુમલામાં કોઇ પ્રકારના નુકસાનની સૂચના નહીં
પુલવામામાં નેવા ગામ સ્થિત સીઆરપીએફના કેમ્પ પર અચાનકથી કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં કોઇ પ્રકારના નુકસાનની સૂચના નથી. જોકે, પોસ્ટ પર તહેનાત સુરક્ષાકર્મી અને સ્થાનીય લોકોએ જણાવ્યું કે આ હુમલામાં ત્રણેય શંકાસ્પદ આતંકવાદી સામેલ હતા. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંદી કરીને શંકાસ્પદ આતંકવાદીઓની તપાસ શરૂ કરી દીધી છે. નેવા ગામથી બહાર નીકળતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે.
સુરક્ષા દળોનું કહેવું છે કે, પોતાના સાથીઓના મોતથી નિરાશ આતંકીઓએ આ હુમલો કહ્યો હતો. જોકે, ગ્રેનેડ નિશાના પર ન લાગતા બીજી તરફ પડીને ફૂટ્યો હતો. જેમા કોઇ જવાન ઘાયલ થયો નથી. આ પહેલા સુરક્ષા દળ તેમનો ઘેરાવો કરે તે પહેલા હુમલામાં સામેલ ત્રણેય આતંકીઓ ત્યાંથી ભાગી નીકળ્યા.
સીઆરપીએફ (CRPF), સેના અને એસઓજી (SOG)ના જવાનોએ નેવા ગામને પોતાના કબજામાં લઇ લીધુ છે. તમામ રસ્તાઓની નાકાબંધી કરી આતંકીઓની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.