જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓએ ફરી એક વખત સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ બુધવારે અહીં પર એક દુકાનદારની હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સામાન્ય લોકો પર પણ ફાયરિંગ કર્યું છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચો ઓપરેશન હાથ ધર્યું છે.
દુકાનદારની હત્યા કર્યા બાદ આતંકવાદીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા
સેના અને પોલીસની ટીમે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે, સર્ચ ઓપરેશન ચાલી
આ પહેલા બાંદીપોરામાં સેનાની સાથે અથડામણમાં સોમવારે એક આતંકવાદી ઠાર મરાયો. તેની સાથે જ રવિવારે શરૂ થયેલ અથડામણમાં માર્યા ગયેલ આતંકવાદીઓની સંખ્યા બે સુધી પહોંચી ગઇ.
Kashmir Zone Police: Terrorists fired on a civilian in Tral area of Awantipora. Area has been cordoned & search is in progress. #JammuAndKashmir
પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તરી કાશ્મીરના બાંદીપોરાના વિજહરા વિસ્તારમાં ત્રણ લશ્કર આતંકવાદીઓની હાજરીમાં સૂચના મળ્યા બાદ રવિવાર મોડી રાત્રે અથડામણ શરૂ થઇ. આ પોલીસ અને સેનાનું સંયુક્ત અભિયાન હતું.
બીજી તરફ પાકિસ્તાને બુધવારે પણ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની કાર્યવાહીનો જવાબ આપ્યો. આ પહેલા પાકિસ્તાન તરફથી મંગળવારે બપોરે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બપોરે ત્રણ વાગ્યે અંદાજિત પુંછ જિલ્લામાં શરૂ થયેલ સીઝફાયર ઉલ્લંઘનનો સિલસિલો સાંજે અંદાજિત 7 વાગ્યા સુધી ચાલતો રહ્યો.