જમ્મૂ કાશ્મીરના રામબનના બટોટે વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ ત્રણ આંતકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે સેનાનો એક જવાન પણ શહીદ થઇ ગયો. બીજી તરફ સુરક્ષાદળોએ આતંકીઓ દ્વારા બંધક બનાવેલા તમામ નાગરિકોને સહી સલામત છોડાવ્યા છે.
જમ્મૂ કાશ્મીરમાં અલગ અલગ જગ્યા પર ત્રણ હુમલા
આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ
શ્રીનગરના ડાઉનટાઉનમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો
જમ્મૂ કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહે બતાવ્યું કે તમામ બંધકોને સલામત રીતે બચાવી લેવાયા છે અને ઓપરેશન પૂર્ણ થયું છે. એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. જ્યારે બે પોલીસ કર્મી ઘાયલ થયા છે. જમ્મૂ કાશ્મીરમાં શનિવારે સવારે અલગ-અલગ જગ્યા પર ત્રણ હુમલાની સૂચના મળી હતી. બે જગ્યાઓ પર આતંકીઓ અને સુરક્ષા દળ વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે એક જગ્યાએ આતંકીઓએ સુરક્ષાકર્મીઓ પર ગ્રેનેડથી હુમલો કર્યો.
આતંકી શ્રીનગર-જમ્મૂ કાશ્મીર હાઇવે પર એક બસ રોકવા માંગતા હતા
સેનાના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, જમ્મૂ કાશ્મીરના બટોટેમાં ચાલી રહેલા એન્કાઉન્ટમાં આતંકી પાસેના એક ઘરમાં ઘુસ્યા હતા, અને સતત ફાયરિંગ કર્યું હતું. સેના અનુસાર, આતંકી શ્રીનગર-જમ્મૂ કાશ્મીર હાઇવે પર એક બસ રોકવા માંગતા હતા. આ દરમિયાન સેનાના જવાનોએ તેમને ચારેય તરફથી ઘેરીને ફાયરિંગ શરૂ કર્યું હતું.
#UPDATE Jammu Inspector General of police (IG) Mukesh Singh on Batote encounter: The hostage has been rescued safely. One army personnel has lost his life & two policemen injured. Operation is over now. pic.twitter.com/p3EY7204RP
જમ્મૂ કાશ્મીર હાઇવે પર રામબનના બટોટે વિસ્તારમાં આંતકીઓએ શનિવારે એક વ્યક્તિને બંધક બનાવાયો હતો. જેને સુરક્ષા દળે છોડાવ્યો હતો. જ્યારે ગાદરબલમાં પણ ઘર્ષણ થયું હતું. જ્યાં 3 આતંકીઓ માર્યા ગયા. આતંકીઓેએ શ્રીનગરના ડાઉનટાઉનમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આંતકી ઘટનાને પગલે શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં ફરી પ્રતિબંધ લગાવી દેવાયો.
ઘરમાં ઘુસ્યા આતંકી, લોકોને બનાવાયા બંધક
જમ્મૂ કાશ્મીરના બટોટે વિસ્તારોમાં આતંકવાદી એક ઘરમાં ઘુસ્યા અને લોકોને બંધક બનાવ્યા હતા. જે બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારોનો ઘેરાવ કર્યો. પ્રાપ્ત જાણકારી મુજબ, 5 આતંકીઓએ પહેલા ગ્રેનેડ હુમલો કર્યો બાદમાં ઘરમાં ઘુસ્યા. સુરક્ષાદળોએ તેમનો પીછો કરતા તેમને ઘેરી લીધા. રિપોર્ટસ અનુસાર, ત્રણેય આતંકી વિજય કુમાર નામના વ્યક્તિના ઘરમાં ઘુસ્યા હતા. જોકે, એ સમયે તેમના પરિવારના અન્ય લોકો ઘરથી બહાર હતા. ત્યારબાદ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું.
જવાબમાં પોલીસ અને સેનાએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. સુરક્ષાદળોએ વિજય કુમારને સુરક્ષિત બચાવ્યા હતા. ઇન્ટેલિજન્સના સૂત્રો મુજબ આ ત્રણેય આતંકીઓ એ સમૂહનો ભાગ છે, જે ડોડા-બટોટે રોડ પર હલડાનૂ એન્કાઉન્ટર સાઇડથી ફરાર થઇ ગયા હતા. આ આતંકવાદીઓ જંગલોમાં 9 કિલોમીટર ચાલીને વિજય કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમનુ ઘર જમ્મૂ કાશ્મીર નેશનલ હાઇવે સ્થિત બટોટે બસ ટર્મિનલથી માત્ર 300 મીટર દૂર હતું.
બીજી તરફ વરસાદને કારણે સુરક્ષાદળોને ઓપરેશન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો. સુરક્ષાદળોએ વિસ્તારનો ચારે તરફથી ઘેરાવ કર્યો હતો. અને જમ્મૂ અને રામબન તરફથી આવતો ટ્રાફિક પણ રોકી દીધો. સ્થાનીય લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા જણાવ્યું.