લાવાપોરા વિસ્તારમાં ગુરૂવાર બપોરે આતંકવાદીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દેતા 1 જવાન શહીદ થયો છે.
શ્રીનગરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો લાવાપોરા વિસ્તારમાં થયો છે. CRPF પાર્ટી પર હુમલામાં 1 જવાન શહીદ થયો છે, જ્યારે 2 જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
સીઆરપીએફના જવાનો પર હુમલા બાદ આતંકવાદીઓની શોધખોળમાં ઘેરાબંધી કરી અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. સીઆરપીએફ પર થયેલા આ આતંકવાદી હુમલાની માહિતી આપતા આઈજી વિજય કુમારે જણાવ્યું કે, આ હુમલામાં સીઆરપીફના બે જવાનો શહીદ થઇ ગયા અને બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઇ જવાયા છે. જોકે તેની સારવાર ચાલી રહી છે.
Jammu and Kashmir: Terrorists attack CRPF party in Lawaypora area on the outskirts of Srinagar city. Details awaited.