કોરોના મહામારી સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ફરી એકવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગત મોડી સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે, અચાનક થયેલ હુમલાને પગલે CRPF 3 જવાન શહીદ થયા છે. આ સિવાયના કેટલાક જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. નોંધનીય છે કે, આજે થયેલા આ હુમલામાં ગુજરાતનો પણ એક જવાન શહીદ થયો છે.
જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતનો જવાન શહીદ
પરિવારજનો પર આભ ફાટ્યા જેવો આક્રંદ
નોંધનીય છે કે, જે જવાનો ઘાયલ થયાં હતા તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાના મુવાડી ગામના વતની અને છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા સતપાલસિંહ બચુસિંહ પરમાર શહીદ થયાં હતા.
પરિવારજનો પર આભ ફાટ્યા જેવો આક્રંદ
#Update The CPRF personnel who lost their lives in Sopore terrorist attack have been identified as 42-year-old Rajeev Sharma from Vaishali in Bihar, CB Bhakare (38) from Maharashtra's Buldhan & Parmar Stayapal Singh (28) from Sabarkantha in Gujarat: CRPF https://t.co/MTTpwYMxyu
આ અંગેની જાણ પરિવારજનોને થતાં જ જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. તો આ સાથે જ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ પહેલા શુક્રવારે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના નેવામાં સેના પર હુમલો કર્યો હતો અને સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત કેમ્પને નિશાન બનાવ્યા હતા. શુક્રવારે આતંકવાદી હુમલામાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના પગમાં ગોળી વાગી હતી.
આતંકવાદી બચીને ભાગવામાં સફળ થયાં
આ બાદ આતંકવાદી હુમલામાં ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેમની હાલત સ્થિર જણાઇ રહી છે. આ આતંકવાદી હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આતંકવાદી બચીને ભાગવામાં સફળ રહ્યા હતા.