જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે. આ સિવાય 3 જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. આતંકવાદીઓએ સોપોરમાં સીઆરપીએફ અને પોલીસની જ્વોઇન્ટ નાકા પાર્ટી પર હુમલો કર્યો.
કોરોના સંકટ વચ્ચે આતંકવાદ
જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો
3 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત
કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન સિઝફાયર કરી રહ્યું છે. બીજી તરફ આતંકવાદીઓ પણ હુમલા કરી રહ્યા છે. આજના જમ્મુ કાશ્મીરના હુમલામાં 3 જવાન શહીદ થયા છે. આ પહેલા શુક્રવારે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના નેવામાં સેના પર હુમલો કર્યો હતો અને સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત કેમ્પને નિશાન બનાવ્યા હતા. શુક્રવારે આતંકવાદી હુમલામાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના પગમાં ગોળી વાગી હતી.
આ બાદ આતંકવાદી હુમલામાં ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેમની હાલત સ્થિર જણાઇ રહી છે. આ આતંકવાદી હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આતંકવાદી બચીને ભાગવામાં સફળ રહ્યા હતા.