જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. પ્રાપ્ત થતી વધુ જાણકારી પ્રમાણે, શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકવાદીઓએ ગુરુવારે બપોરે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધો હતી.
શ્રીનગરમાં આતંકી હુમલો
HMT વિસ્તારમાં આતંકી હુમલો
સેનાના 2 જવાન શહીદ
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને આર્મી બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને સૈનિકો શહીદ થયા હોવાના અહેવાલ છે. દરમિયાન, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો થયો ખુલાસો
આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ માહિતી સાંજ સુધીમાં મળી જશે.
થોડા દિવસ પહેલા LOC પર જોવા મળ્યું હતું ડ્રોન
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જોવા મળતા સેના એલર્ટ થઇ છે અને તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અધિકારીઓનએ રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે ડ્રોન જવા મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું.
પાકિસ્તાન વારંવાર કરી રહ્યું છે સીઝફાયર ઉલ્લંઘન
સરહદ પર પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનને જોરદાર સબક શીખવાડ્યો હતો જે બાદ આજે ફરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે.
નાપાક હરકત
જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ છે. સરહદ પર પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય સેનાની ચોકી અને રહેણાક વિસ્તારોને નુકસાન પહોંચડવામાં આવી રહયું છે. પાકિસ્તાન તરફથી થયેલ ગોળીબારમાં ભારતે એક વીર સપૂત ગુમાવ્યો છે.