જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના બે સૈનિક શહીદ થઇ ગયા જ્યારે એક સામાન્ય નાગરિકનું મોત થઇ ગયું.
જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન
સુરક્ષાબળના બે જવાન શહીદ, અને એક સામાન્ય નાગરિકનું મોત
જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાન તરફથી એક વખત ફરીથી નાપાક હરકતને અંજામ આપવામાં આવ્યો છે. રવિવારે સવારે પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરી વગર ગોળીબાર શરૂ કરી. સીઝફાયર ઉલ્લંઘનની આ ઘટનામાં સુરક્ષાબળોના બે જવાન શહીદ થઇ ગયા. સાથે જ એક સામાન્ય નાગરિકનું મોત થયું હોવાની જાણકારી મળી છે. હાલ ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.
Indian Army sources: Two Indian soldiers killed in ceasefire violation, along the Line of Control in Tangdhar sector (Jammu and Kashmir), when Pakistan Army was pushing infiltrators into Indian territory. Indian Army is retaliating strongly in the entire sector. pic.twitter.com/xIhej3hizo
મળતી માહિતી અનુસાર ઘાટીના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં રવિવાર સવાર સીમા પારથી પાકિસ્તાની સેના ઘૂસણખોરીઓને મોકલવાનો પ્રયત્ન કરી રહી હતી. એ દરમિયાન પાકિસ્તાને સંઘર્ષવિરામનો ઉલ્લંઘન કરતા ગોળીબાર શરૂ કર્યો. પાકિસ્તાનની આ કાયરાના હરકતમાં સુરક્ષાબળોના બે સૈનિક શહીદ થઇ ગયા જ્યારે એક સામાન્ય નાગરિકે જીવ ગુમાવ્યો, આ ઉપરાંત 3 સામાન્ય નાગરિક પણ ઘાયલ થઇ ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનની ગોળીબારમાં આસપાસના ઘણા ઘરોને નુકસાન પણ થયું છે. ઑપરેશન હાલ ચાલુ છે અને સેના પાકિસ્તાનને કરારા જવાબ આપી રહી છે. નોંધનીય છે કે આ પહેલા ગત સપ્તાહે જમ્મૂ-કાશ્મીરના બારામુલામાં નિયંત્રમ રેખાની નજીક ફાયરિંગમાં પણ એક જવાન શહીદ થઇ ગયો હતો.