જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓએ ચાર પોલીસકર્મીનું અપહરણ કર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલ ત્રણ SPO અને એક કોન્સ્ટેબલ લાપતા છે. ત્યારે આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા પ્રબળ બની છે. આતંકીઓએ આ ચારેય પોલીસકર્મીઓ સાથે પોલીસકર્મીના એક ભાઈનું પણ અપહરણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે હિઝબુલના આતંકીઓ દ્વારા આ અપહરણ કરવામાં આવ્યું છે. જો કે 3 દિવસ અગાઉ હિઝબુલના આતંકીઓ દ્વારા કશ્મીરીઓને ધમકી આપવામાં આવી હતી. આતંકીઓએ ધમકી આપતા કહ્યું હતું કે સરકારી વિભાગ કે ભારતીય સેના કે સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા તમામ કશ્મીરીઓ પોતાનુ રાજીનામુ આપે.
આપને જણાવી દઇએ કે આતંકીઓએ 4 દિવસમાં રાજીનામુ આપવાની ધમકી આપતા કહ્યું હતુ કે જો રાજીનામુ આપવામાં નહીં આવે તો તેઓને જાનથી મારી નાખવામાં આવશે. એટલું જ નહીં પણ સાથો સાથ તેમના પરિવારજનોને પણ મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી. જેથી આજે થયેલા ચારેય પોલીસકર્મીના અપહરણમાં આ શંકા પ્રબળ બની છે.
#JammuAndKashmir: 3 Special Police Officers (SPOs) and 1 police personnel have gone missing in South Kashmir's Shopian. More details awaited.
આ મામલે મળેલા તાજા સમાચાર મુજબ હિઝબુલના આતંકી સંગઠન દ્વારા પોલીસકર્મીઓનું અપહરણ કર્યા બાદ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. 4માંથી 3 પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું ગમગીની છવાઇ હતી. આ મામલે સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અન્ય એકની તપાસ હાથ ધરી છે.