700 વર્ષ જૂના શીતલનાથ મંદિરને 26 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું.
વર્ષોથી બંધ હિંદુ મંદિરો પણ ફરી ખોલવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ
26 વર્ષ બાદ ખોલવામાં આવ્યું શિવ મંદિર
લગભગ 700 વર્ષ જૂનું મંદિર
વર્ષોથી બંધ હિંદુ મંદિરો પણ ફરી ખોલવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ધીરે ધીરે અનેક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યા છે. આતંકી ઘટનાઓમાં ઘટાડાની સાથે હવે ત્યાં વર્ષોથી બંધ પડેલા હિંદુ મંદિરો પણ ફરી ખોલવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
26 વર્ષ બાદ ખોલવામાં આવ્યું શિવ મંદિર
શ્રીનગરમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂકેલા ઐતિહાસિક શીતલનાથ મંદિરને 26 વર્ષ બાદ ખોલવામાં આવ્યું. આની પહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહ્લાદ પટેલે કરી. તે જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર મંગળવારે કાશ્મીરમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે 700 વર્ષ જૂના શીતલનાથ મંદિર અંગે પુછપરછ કરી.
श्रीनगर में 700 वर्ष से भी ज्यादा प्राचीन शीतलनाथ महादेव का अभिषेक करने का सौभाग्य मिला। दहशतगर्दों द्वारा इस मंदिर को भी जलाया गया था। तीन दशक से बंद मंदिर को मेरे आग्रह पर प्रशासन ने खोला और मुझे दर्शन का अवसर मिला। इस मंदिर का महात्म्य राजतरंगिणी ग्रंथ में भी वर्णित है। pic.twitter.com/NIILRrYE6l
તેમણે જણાવ્યું તે વર્ષ 1995માં ચરારે શરીફની દરગાબમાં થયેલા અગ્રિકાંડ બાદ કશ્મીરી અલગાવવાદીઓ અને આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીના સૈંકડો મંદિરો પર હુમલો કરીને તેમને વેરવિખેર કરી નાંખ્યું હતુ. જેમાંથી અનેક મંદિરને સળગાવી દીધું હતુ. શીતલનાથ મંદિર ક્ષતિગ્રસ્ત થયા તે જ મંદિરોમાંથી એક હતું.
કેન્દ્રીય મંત્રીએ કર્યો મંદિર ખોલવાનો આગ્રહ
અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ ઘટના બાદથી આ મંદિર બંધ પડ્યુ છે. આના પર પ્રહ્લાદ સિંહ પટેલે આગ્રહ કરીને ઐતિહાસિક શીતલનાથ મંદિરને ફરી ખોલાવ્યુ અને ત્યાં ભગવાન શિવનો અભિષેક કર્યો. પૂજા અર્ચનાની પહેલા સ્થાનીય પ્રશાસને આ શિવ મંદિરની સાફ સફાઈ કરાવી. આ બાદ મંત્રીએ મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરી જળ ચઢાવ્યું.
લગભગ 700 વર્ષ જૂનું મંદિર
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના હજારો વર્ષના ઈતિહાસમાં ચિત્રિત કરવા માટે ઋષિ કલ્હાણે 1148-49માં રાજતરંગિણીની રચના કરવામાં આવી હતી. આ કાવ્ય રચનામાં શીતલનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર કાશ્મીરના સેંકડો વર્ષ જૂના મંદિરમાંથી એક છે.