જમ્મૂ કાશ્મીરમાં કડક સુરક્ષા દરમિયાન શાંતિપૂર્ણ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ. જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ બીએસ. સુબ્રમણ્યમે એલાન કર્યું છે કે જલ્દી જ ખીણમાં હાલત સામાન્ય બની જશે અને પ્રતિબંધોમાં છૂટ મળશે. ધીરે-ધીરે ટેલિફોનની સુવિધા કાશ્મીરમાં શરૂ કરી દેવામાં આવશે.
જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવે કહ્યું કે સરકારની તરફથી સમય-સમય પર લોકોને છૂટ આપવામાં આવી હતી. ઇદના સમયે પણ લોકો ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત જે લોકો હજથી પરત ફરી રહ્યા છે એમને પણ સુવિધા આપવામાં આવી રહી છે.
સુબ્રમણ્યમે એલાન કર્યું કે છેલ્લા ઘણા દિવસોથી એકપણ જીવ નથી ગયો. આવતી કાલથી ધીરે-ધીરે ટેલિફોનની સુવિધા કાશ્મીરમાં શરૂ કરવામાં આવશે.
જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવે કહ્યું કે પાકિસ્તાન સતત કાશ્મીરનું વાતાવરણ બગાડવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તે એમા સફળ થઈ શક્યું નથી. આ દરમિયાન એમણે લશ્કર એ તૈયબા, હિજબૂલ જેવા આંતકી સંગઠનોનું નામ પણ લીધું.
એમણે કહ્યું કે, ખીણમાં ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય બની રહી છે. અને પ્રતિબંધ હટાવામાં આવી રહ્યા છે. તમામ સરકારી ઓફિસોને ખોલી દેવામાં આવી છે, સાથે જ સરકારી સ્કૂલને પણ ધીરે-ધીરે ખોલવામાં આવશે. બાદમાં પરિસ્થિતિ અનુસાર આગળ નિર્ણય લેવામાં આવશે.