પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવવા માટે ભારતીય સેના દ્વારા તોપના ઉપયોગ પર રાજ્યપાલ મલિકે પ્રતિક્રિયા આપી છે. એમેન કહ્યું કે આતંકવાદી કેમ્પોનો અમે ખાત્મો કરી નાંખીશું. સાથે જ એમને કહ્યું કે જો આતંકવાદી બાજ નહીં આવે તો અમે પીઓકેમાં અંદર જઇશું.
ભારતીય સેના દ્વારા તોપના ઉપયોગ પર રાજ્યપાલ મલિકે પ્રતિક્રિયા આપી
એમને કહ્યું કે જો આતંકવાદી બાજ નહીં આવે તો અમે પીઓકેમાં અંદર જઇશું
રવિવારે જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગઘાર સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની કાયરાના હરકતનો ભારતીય સેનાએ એની ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાએ આશરે 2 કલાકામાં તંગઘારમાં શહીદ પોતાના બે જવાનોની શહીદીનો બદલો લીધો.
સેનાની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લશ્કર-એ-તાયબા, જેશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદીનના આંતકી માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 6 થી 10 ફૌજી પણ માર્યા ગયા હતા. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ખુદે આ જાણકારી આપી છે.
પાકિસ્તાનને પાઠ ભણાવવા સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો
આ વર્ષે 26 ફેબ્રુઆરીએ પીઓકેના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ આ સેનાની પહેલી મોટી કાર્યવાહી છે. સેનાએ આ કાર્યવાહી ત્યારે કરી, જ્યારે પાકિસ્તાને આતંકી ઘૂસણખોરીને અંજામ આપવા માટે શનિવાર રાતથી અચાનક ભારતીય પોસ્ટો પર ગોળીબાર શરૂ કરી, જે રવિવાર સવાર સુધી ચાલી.
સેનાની આ કાર્યવાહી પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુદ કમાન સંભાળી લીધી. તેઓ એ દરમિયાન સતત સેના પ્રમુખ બિપિન રાવતના સંપર્કમાં રહ્યા અને એમની સાથે વાત કરીને પરિસ્થિતિ પૂછતા રહ્યા.