જમ્મૂ-કાશ્મીરમાં ગઠ-બંધન તૂટયું તો કોઈપણ પક્ષે સળગતા ઘરની જવાબદારી ન લીધી અને આ રાજ્ય પર 6 માસ માટે લાગી ગયું રાજ્યપાલ શાસન. જોકે રાજ્યપાલ શાસનના પગલે સેના અને પોલીસમાં અભૂતપૂર્વ સંચાર જોવા મળી રહ્યો છે.
હવે સેના પોતાને 'પ્રેશર ફ્રી' અને પોલીસ પોતાને 'દબાણ મ્કુત' અનુભવવા લાગી છે. ત્યારે કોણ કરતું હતું પોલીસ પર દબાણ?. કોણ બાંધી રાખે છે જવાનોના હાથ?..અને કોણ કરે છે રાષ્ટ્ર રક્ષણનો દ્રોહ. વાચો આ અહેવાલ
આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આવતા છ મહિનાના સમય માટે રાજ્યપાલ શાસન લાગૂ થઇ ગયું છે. આ બધાની વચ્ચે રાજ્યપાલ એનએન વોહરાનો કાર્યકાળ 25મી જૂનના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. સૂત્રોના મતે કોઇ નવા ચહેરાને જવાબદારી આપવાની જગ્યાએ તેમને જ આગળનો કાર્યકાળ મળી શકે છે.
આ પહેલાં મંગળવારે બપોરે સવા બે વાગ્યે અંદાજે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમ્યાન ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરતાં મહેબૂબા સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. જણાવી દઇએ કે મંગળવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર ભાજપ નેતાઓની સાથે બેઠક કરી હતી ત્યારબાદ ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.
મંગળવારના રોજ ભાજપ નેતા રામમાધવે પીડીપીમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરતાં કહ્યું કે છેલ્લાં કેટલાંક દિવસથી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ વણસી છે તેના લીધે અમારે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં વડાપ્રધાન અમિત શાહ રાજ્ય નેતૃત્વ સંભાળી રહેલા તમામ સાથે વાત કરી છે.
સરકાર તૂટ્યા બાદ ભાજપે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન નાંખવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં આપ્યા બાદ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ડરની નીતિ ચાલશે નહીં. તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ અલગ-અલગ વિચારધારાને માને છે પરંતુ તેમ છતાંય સત્તા માટે નહીં પરંતુ મોટા વિઝનને સાથે લઇ અમે ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું.
મહેબૂબાએ કહ્યું કે સરકાર દ્વારા તેઓ કાશ્મીરમાં પોતાના એજન્ડા લાગૂ કરવામાં સફળ રહી છે. મહેબૂબાનું કહેવું છે કે કાશ્મીરના લોકો સાથે વાતચીત થવી જોઇએ પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઇએ આ તેમની હંમેશાથી કોશિષ રહી છે.