જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે ભારતીય જનતા પાર્ટીનાં નેતા જસબીર સિંહનાં ઘરે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નાના બાળકનો ભોગ લેવાયો હતો.
ભારતીય જનતા પાર્ટીનાં નેતા જસબીર સિંહનાં ઘરે ગ્રેનેડ હુમલો
જસબીર સિંહનાં ચાર વર્ષનાં ભત્રીજાનું મોત
ગ્રેનેડ હુમલા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવાયો
ભાજપ નેતાના ઘરે હુમલો
જમ્મુ કશ્મીરમાં રાજૌરી જિલ્લામાં ગુરુવારે ભારતીય જનતા પાર્ટીનાં નેતા જસબીર સિંહનાં ઘરે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જસબીર સિંહનાં ચાર વર્ષનાં ભત્રીજાનું મોત થયું હતું અને આ સિવાય અન્ય સાત પરિવારજનો ગંભીર રીતે ઘાયલ થયાં હતા.
આખા વિસ્તારને સીલ કરી દેવાયો
ગ્રેનેડ હુમલા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવાયો છે. જમ્મુ એડીજીપીએ પણ ગ્રેનેડ હુમલાની પુષ્ટિ કરીર છે. પોલીસે હુમલાખોરની તલાશ શરુ કરી છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અગાઉ જમ્મૂ કાશ્મીરમાં આતંકિઓએ સેના પર હુમલો કર્યો હતો. BSFના કાફલા પર આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમા આતંકીઓ અને જવાનો આમને સામને આવી ગયા હતા. જે જગ્યાએ આ હુમલો થયો હતો ત્યા ત્રણ આતંકિઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
BSFના કાફલા પર આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો. જેમા આતંકીઓ અને જવાનો આમને સામને આવી ગયા હતા. જે જગ્યાએ આ હુમલો થયો છે ત્યા ત્રણ આતંકિઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
આંતકીઓને ઝડપી પાડવા BSFના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું.
આંતકીઓને ઝડપી પાડવા BSFના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે આતંકિઓએ જવાનો પર ગોળીબારી શરૂ કરી દીધી. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આવેલ માલપોરા વિસ્તાર પાસે શ્રીનગર જમ્મૂ હાઈવે પર આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જોકે આ હુમલા બાદ સેના દ્વારા આતંકીઓને હાલ ઘેરી લેવામાં આવ્યા છે.
ડીજીએ શું કહ્યું?
રાજેશ કુમાર શવન, ડીસી રાજૌરીએ કહ્યું હતું કે તે જોવામાં આવી રહ્યું છે કે ગ્રેનેડ ક્યાંથી ફેંકવામાં આવ્યું હતું. પોલીસે એફઆઈઆર પણ દાખલ કરી હતી. એક બાળકનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે કમનસીબે તે બધા એક જ પરિવારના છે. તપાસ ચાલી રહી છે.