જમ્મૂ કાશ્મીરના રાજોરીમાં એક બસ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જણાવાય રહ્યું છે કે એક બસ જમ્મૂથી પૂંછ જઇ રહી હતી પરંતુ આ બસ સુંદરબનીની પાસે એક ખીણમાં ખાબકી હતી.
જમ્મૂ કાશ્મીરમાં મોટી રોડ દુર્ઘટના
રાજોરીમાં ખીણમાં બસ ખાબકી
અત્યાર સુધીમાં 10 લોકોના મોત
ગુરૂવારે રાજોરી જિલ્લાના સિયોટની નજીક એક બસ બેકાબૂ થઇને ખીણમાં ખાબકી હતી. રાજોરી પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
તેમણે કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ મૃતકો અને ઇજાગ્રસ્તોને સમગ્ર માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે બસ પૂંછના સુરાનકોટથી જમ્મુ તરફ જઇ રહી હતી. દુર્ઘટનાના કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બેદરકારીના કારણે દુર્ઘટના બની છે.
આ ઘટનાની જાણકારી મળતા જ રાહત અને બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. અકસ્માતની ઘટના બનતા મૃતકોના પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. પરિવારજનો શોકમગ્ન થયા છે.