જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો હતો. હુમલામાં સીઆરપીએફનો અન્ય એક જવાન ઘાયલ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો
હુમલામાં એક પોલીસ જવાન શહીદ, એક CRPF જવાન ઘાયલ
આતંકવાદીઓએ CRPF અને પોલીસ પર ગોળીબાર કર્યો હતો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો હતો. હુમલામાં સીઆરપીએફનો અન્ય એક જવાન ઘાયલ થયો હતો. આ હુમલો પુલવામાના પિંગલાનામાં થયો હતો. અહીં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર ગોળીબાર કર્યો હતો.
JK police personnel killed, CRPF jawan injured as terrorists open fire at checkpost in Pulwama
એક પોલીસ જવાન શહીદ
આ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો હતો અને એક CRPF જવાન ઘાયલ થયો હતો.આ વિસ્તારમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને મોકલવામાં આવી છે. આ મામલાની માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની માહિતી આપી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ પુલવામાના પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો.
એક આતંકીને ઠાર કર્યો હતો
નોંધનીય છે કે આ હુમલાના થોડા કલાકો પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ દ્વારા લશ્કર તૈયબા સાથે જોડાયેલા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આતંકીની ઓળખ નસીર અહેમદ ભટ તરીકે થઈ હતી.એવું કહેવાય છે કે તે તાજેતરમાં એક એન્કાઉન્ટર દરમિયાન ભાગવામાં સફળ રહ્યો હતો. કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે તે ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ હતો.