જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મૂ કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. સેનાના આધારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જદૂરા ગામમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલો સેનાનો એક જવાન પણ શહીદ થયો છે.
પુલવામામાં 3 આતંકીઓ માર્યા ગયા
સેનાનો એક જવાન પણ થયો શહી0
24 કલાકમામં 7 આતંકી થયા ઠાર
#UPDATE जदुरा इलाके में कल रात शुरू हुई मुठभेड़ में गंभीर रूप से घायल हुए एक जवान की मौत हो गई। संयुक्त ऑपरेशन अभी चल रहा है: जनसंपर्क अधिकारी (PRO) रक्षा, श्रीनगर https://t.co/hJLo8DiqU3
આ અગાઉ પણ શુક્રવારે કાશ્મીરમાં સુરક્ષાબળોની સાથેના એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર મરાયા હતા. એક આતંકીએ સરેન્ડર કર્યું હતું. આ રીતે સુરક્ષાબળે 24 કલાકમાં જમ્મૂ કાશ્મીરમાં 7 આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મૂ કાશ્મીર પોલીસના આધારે પુલવામાના જદૂરા વિસ્તારમાં મોડી રાતે સેના અને આતંકીઓની વચ્ચે લડાઈ થઈ હતી. એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે અને 1 જવાન શહીદ થયો છે. સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન કરી રહી છે. જમ્મૂ કાશ્મીર પોલિસના આધારે ઘટનાસ્થળેથી કેટલોક શંકાસ્પદ સામાન અને હથિયાર મળ્યા છે. સુરક્ષાબળોએ આતંકીઓની પાસે 1 એકે 47 અને 2 પિસ્તોલ જપ્ત કરી છે. પોલિસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને અહીંથી આવતા જતા વાહનોનું ચેકિંગ પણ થઈ રહ્યું છે.
શુક્રવારે શોપિયામાં થયું હતું એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે શુક્રવારે શોપિયા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેમાં શોપિયાના કિલૂરામાં થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર મરાયા હતા.જ્યારે એક આતંકીએ સરેન્ડર કર્યું હતું. ઓપરેશનની માહિતી આપતાં કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે ઠાર મરાયેલા આતંકીમાં સુહૈબ પણ સામેલ છે જે સરપંચ નાસિરની હત્યામાં સામેલ હતા. તેની પાસે સુરક્ષાબળોને 2 એકે-47 રાઈફલ અને 3 પિસ્તોલ મળી હતી.
ઉલ્લેખનીય છે કે ઘાટીમાં સતત સુરક્ષાબળની તરફથી સર્ચ ઓપરેશન સતત આતંકીઓને ઠાર કરી રહ્યું છે. આ અઠવાડિયે બારામૂલાના ક્રેરી વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ આતંકીને ઠાર કર્યો હતો.