જમ્મુ કાશ્મીરના પુલવામામાં સોમવાર સાંજે આતંકવાદીઓએ કાકપોરા વિસ્તારના એક પોલીસ પોસ્ટ પર ગ્રેનેડ હુમલો કરી દીધો.
પુલવામાની પોલીસ પોસ્ટ પર આતંકવાદીઓનો હુમલો
કાકપોરા વિસ્તારમાં ફેંક્યો ગ્રેનેડ
કોઈ જવાન ઇજાગ્રસ્ત નહીં
આતંકવાદીઓએ પુલવામાના કાકપોરા વિસ્તારમાં પોલીસ પોસ્ટ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જે હુમલામાં કોઇપણ ઇજાગ્રસ્ત થવાની માહિતી નથી મળી. સેના અને પોલીસે જવાનોના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
હાલ થોડા દિવસોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમણે પહેલા દિવસે જ આતંકવાદીઓ સાથે લડવાની યોજના પર લાંબી બેઠક કરી હતી. 4 કલાક સુધી ચાલેલી બેઠકમાં અમિત શાહે કેન્દ્રીય એજન્સીઓને સાથે મળીને કામ કરવા માટે કહ્યું અને આતંકવાદીઓ પર અંતિમ પ્રહાર કરવાની વાત કરી. આ સિવાય, શાહે જમ્મુ કાશ્મીરના યુવાનો સાથે પણ મુલાકાત કરીને તેને સંબોધિત કર્યા હતા.
બીજી તરફ, ખીણમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે સતત એન્કાઉન્ટર્સ ચાલી રહ્યા છે. આ મહિનામાં આતંકવાદીઓએ ઉત્તરપ્રદેશ-બિહારના કેટલાક સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે, જ્યારબાદ સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દેવામાં આવી. આતંકવાદીઓના પ્રયત્ન ખીણમાં હુમલા કરીને સામાન્ય લોકોમાં ડર પૈદા કરવાનો છે, જ્યારે સેના એક-એક કરીને ખીણથી આતંકવાદીઓનો સફાયો કરવામાં લાગી છે.