લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જી અને ભાજપ એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા. પણ સંસદમાં ચૂંટણીના પરિણામ બાદ TMCએ ભાજપને જમ્મુ-કશ્મીર આરક્ષણ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કશ્મીર આરક્ષણ અધિનિયમ, 2004માં સંશોધન માટે રાજ્યસભામાં વિધેયક રજૂ કર્યું હતું. આ બિલને લોકસભામાં પહેલાં જ મંજૂરી મળી ગઈ છે. આ ઉપંરાત રાજ્યસભામાં જમ્મુ કશ્મીરમાં 6 મહિના રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી છે.
TMC સાંસદે અમિત શાહના પ્રસ્તાવને કર્યું સમર્થન
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કશ્મીર આરક્ષણ અધિનિયમ, 2004માં સંશોધન માટે રાજ્યસભામાં વિધેયક રજૂ કર્યું હતું. આ બિલને લોકસભામાં પહેલાં જ મંજૂરી મળી ગઈ છે. બિલને સમર્થન આપતાં TMC સાંસદ ડેરેક ઓ બ્રાઈને કહ્યું કે, ભારતીયોનો ફાયદો મળે એટલે અમે જમ્મુ કશ્મીર આરક્ષણ બિલનું સમર્થન કરીએ છીએ.
Rajya Sabha approves statutory resolution to extend President's rule in J&K for a further period of 6 months with effect from 3rd July 2019; Also passes J&K Reservation (Amendment) Bill, 2019. pic.twitter.com/SkbbXnf1UV
આ સાથે જ રાષ્ટ્રપતિ શાસન વધારવાના પ્રસ્તાવને પણ અમે સમર્થન આપીએ છીએ. રાજ્યસભામાં ચર્ચા સમયે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓને લઈ તકરાર પણ જોવા મળી હતી. જમ્મુ કશ્મીર આરક્ષણ બિલમાં આંતરરાષ્ટ્રીય સીમાના 10 કિમી અંદર રહેતાં લોકોને શૈક્ષણિક સંસ્થાન અને સરકારી નોકરીમાં 3 ટકા આરક્ષણ આપવાની જોગવાઈ છે.
અમિત શાહના પ્રસ્તાવને સાંસદોએ વધાવ્યો
આપને જણાવી દઇએ કે, ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કશ્મીરમાં બોર્ડર પર રહેનારા લોકો માટે આ પ્રસ્તાવ કર્યો હતો અને આ પ્રસ્તાવને સાંસદોએ વધાવ્યું હતું. જો કે , વિપક્ષોએ આ મામલે હોબાળો પણ કર્યો હતો પરંતુ આખરે આ બિલ લોકસભામાં પસાર કરાયું છે. આ બિલના કારણે કશ્મીરના અનેક લોકોને મહત્વની સુવિધા અને ફાયદો મળશે.