જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ છે. પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ દુર્ઘટનાનો શિકાર થઈ છે.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં મોટી દુર્ઘટના
મીની બસ ખીણમાં ખાબકી, 11 લોકોના મોત
ઉપરાજ્યપાલે મૃતકોના પરિવારને 5-5 લાખ આપવાની જાહેરાત કરી
જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ છે. પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ દુર્ઘટનાનો શિકાર થઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. સાથે જ કેટલાય અન્ય લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે કહેવાય છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ મંડીના સાવઝાન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં ખાબકી હતી.
11 die, 25 injured in minibus accident in J-K's Poonch
આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હાત. ઓફિસરોને શંકા છે કે દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. દુર્ઘટના પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક પ્રગટ કર્યો છે. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેની સાથે જ ઓફિસરોને નિર્દેશ અપાયા છે કે, ઘાયલોને ઉત્તમ સારવાર આપવામાં આવે.
Jammu & Kashmir | A mini-bus accident occurred in the Sawjian area of Poonch. Army's rescue operation is underway; 9 deaths reported, many injured shifted to a hospital in Mandi. Further details awaited: Mandi Tehsildar Shehzad Latif pic.twitter.com/NMFhtuK5lj
આ અગાઉ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે એક કાર લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. ઓફિસરોએ જણાવ્યુ હતું કે, છીરા નિવાસી અજય કુમાર અને જગોટે નિવાસી રંજીત સિંહનુ ંદુર્ઘટનામાં મોત થઈ ગયું છે. તેમણે કહ્યુ ંકે, આ લોકો કારથી થાથરીથી છીરા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે નંદના ગામ નજીક આ દુર્ઘટના થઈ હતી.