આ રીતે નોંધાઈ એફઆઈઆર
બડગામ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ FIR નોંધી છે. રિપોર્ટ અનુસાર તે સમયે પોલીસ સ્થળ પર હાજર હતી. પાકિસ્તાની ધ્વજ જોઈને જેમ જેમ પોલીસ મૃતદેહને પોતાની કસ્ટડીમાં લેવા માટે આગળ વધતી ગઈ ત્યારે જ સ્વર્ગીય અલગતાવાદી નેતાના સાથીઓએ ધ્વજ હટાવી દીધો.
આ દિવસે સૈયદ અલી શાહ ગિલાનીના થયા અંતિમ સંસ્કાર
સૈયદ અલી શાહ ગિલાનીને 2 સપ્ટેમ્બરે જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં તેમના હૈદરપોરા નિવાસની પાસે એક સ્થાનિક કબ્રસ્તાનમાં દફન કરાયા. 92 વર્ષના ગિલાનીનું 1 સપ્ટેમ્બરે લાંબી બીમારી બાદ તેમના નિવાસ સ્થાને રાતે 10.30 વાગે નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ અહીં 2008થી નજરકેદ હતા.
ગિલાનીના મોત બાદ કાશ્મીરમાં અલગાવવાદી આંદોલનમાં નિરાશા
ગિલાનીના મૃત્યુથી અલગતાવાદી શિબિરમાં નિરાશાની સાથે ખાલીપણું પણ જોવા મળ્યું છે.શક્ય છે કે તેની અસર ભવિષ્યમાં જોઈ શકાય છે. 2008માં ગિલાની જમાત-એ-ઇસ્લામીથી અલગ થયા અને પછી તેમણે પોતાનો રાજકીય પક્ષ, તહરીક-એ-હુર્રિયત બનાવવાની જાહેરાત કરી.
ગિલાનીના બુધવારે થયેલા મોત બાદ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુરુવારે કાશ્મીરમાં વ્યાપક પ્રતિબંધ અને મોબાઈલ ટેલિફોનને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. શુક્રવારે મોડી રાતે મોબાઈલ ફોન વોઈસ કોલિંગ સેવાઓ અને બ્રોડબેન્ડની સુવિધા ફરી શરૂ કરી દેવાઈ કેમકે વરિષ્ઠ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના બુધવારે નિધન બાદ સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી.