કુલગામ જિલ્લામાં 2 અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર કર્યા બાદ બુધવારે સાંજે પોલીસે 43 લાખ રુપિયાની સાથે જમ્મુના સિંધડા પુલના ત્રણ લોકોની ધરપકડ કરી છે.
કુલગામ જિલ્લામાં 2 અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર કર્યા
પોલીસે 43 લાખ રુપિયાની સાથે જમ્મુના સિંધડા પુલના ત્રણ લોકોની ધરપકડ કરી
ત્રણેય આતંકીઓ માટે મદદગાર તરીકે કામ કરતા હતા
કુલગામ જિલ્લામાં 2 અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લામાં 2 અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર કર્યા બાદ સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. બુધવારે સાંજે પોલીસે 43 લાખ રુપિયાની સાથે જમ્મુના સિંધડા પુલના ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ત્રણ લોકો આતંકીઓના મદદગાર હતા. આ રકમને તે આતંકીઓ સુધી પહોંચાડવાના હતા. આ રીતે પોલીસે તેમના ટેરર ફંડિગ પર સીધો વાર કર્યો છે. જમ્મુ પોલીસે કહ્યું કે આ લોકો આ રકમને પંજાબથી લઈને દક્ષિણ કાશ્મીર જઈ રહ્યા હતા.
આ લોકો આતંકીના ફંડિંગ માટે રકમ લઈ રહી રહ્યા હતા
પોલીસે નગરોટામાં આ લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ લોકો તરફથી જૈશ-એ-મોહમ્મદની આતંકી ગતિવિધિઓના ફંડિંગ માટે રકમ લઈ રહી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ફયાજ અહમદ ડાર, ઉમર ફારુક અને મૌજમ પરવાજ તરીકે થઈ છે. જમ્મુ પોલીસે એસપી ચંદન કોહલીએ કહ્યું કે અમે સૂચના મળી હતી કે પંજાબથી દક્ષિણ કાશ્મીર કૈશ લઈ જવાઈ રહ્યા છે. જે બાદ જ અનેક કાર્યવાહીમાં અમે આ લોકોની ધરપકડ કરી છે. પોલીસે નાકા પર ચેકિંગ વધારી દીધી હતી અને આ દરમિયાન સિંઘડા બ્રિજ પર આ લોકોને પકડ્યા હતા.
ત્રણ લોકો સતત દક્ષિણ કાશ્મીરમાં બેસેલા આતંકી હેંડલર્સના સંપર્કમાં હતા
પોલીસે કહ્યું કે નાકા બંધી દરમિયાન ગાડી રોકી તેમની પુછપરછ કરી પણ તેમણે જવાબ ન આપતા શંકા ગઈ અને ગાડીનાં ચેકિંગ દરમિયાન 2 બેગોમાંથી 43 લાખ રુપિયાની રકમ મળી છે. પોલીસે કહ્યું કે આ ત્રણ લોકો સતત દક્ષિણ કાશ્મીરમાં બેસેલા આતંકી હેંડલર્સના સંપર્કમાં હતા.
2 અથડામણમાં 5 આતંકીઓને ઠાર કરાયા
સુરક્ષા દળોએ એક તરફ બુધવારે જ 5 આતંકિઓને 2 અથડામણમાં ઠાર કરી દીધા તો હવે મોટી રકમ સાથે 3 લોકોની ધરપકડ કરી ટેરર ફંડિંગ પર પણ મોટી તરાપ મારી છે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોમાં જમ્મુ- કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં આતંકીઓ તરફથી હવે સામાન્ય નાગરિક પર હુમલો કરવામાં આવી રહ્યો છે.