પીએમ મોદીએ આજે ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડોભાલ સહીતના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક કરી જે બાદ પાકિસ્તાન પર હુમલો કર્યો છે.
જમ્મૂ કાશ્મીરમાં ચાર આતંકીઓને સેનાએ ફૂંકી માર્યા
ઘણા બધા હથિયાર અને વિસ્ફોટક સાથે આવ્યા હતા આતંકીઓ
પીએમ મોદીએ આજે કરી હાઈલેવલ બેઠક
પીએમ મોદીએ માર્યા ચાબખા
જમ્મૂ કાશ્મીરના નગરોટામાં એન્કાઉન્ટરમાંમાં ભારતના વીર જવાનોએ જૈશ-એ-મહોમ્મદના ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે જે બાદ પીએમ મોદીએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો છે. પીએમ મોદીએ આજે સાંજે સતત બે ટ્વિટ કર્યા છે અને તેમણે કહ્યું કે પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓનું કાવતરું ભારતમાં દાખલ થવાનું હતું પરંતુ આપણા સતર્ક જવાનોએ તેના પર પાણી ફેરવી દીધું.
તબાહી મચાવવા આવ્યા હતા આતંકીઓ : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન સ્થિતિ આતંકવાદી સંગઠનના ચાર આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે જે એ વાતનો સંકેત છે કે આ આતંકવાદીઓ દેશની અંદર કહેર મચાવવાનો હતો પરંતુ સેનાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું.
પીએમ મોદીએ ભારતના વીર જવાનો વિશે કહ્યું કે આપણા સુરક્ષા દળોએ એકવાર ફરી અત્યંત બહાદુરી અને સતર્કતાનો પરિચય આપ્યો છે. સુરક્ષા જવાનોએ જમ્મૂ કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રણાલીને નિશાનો બનાવનાર એક નાપાક ષડ્યંત્રને હરાવ્યું છે.
નોંધનીય છે કે આજે નરેન્દ્ર મોદીએ આજે અમિત શાહ અને અજિતડ ડોભાલ સહીતના મોટા અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક કરી હતી અને સૂત્રો અનુસાર સરકારનું માનવું છે કે મુંબઈ હુમલાની વર્ષગાંઠ પર જ આતંકવાદીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.