હાલ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાન શહીદ થયા છે ત્યારે મહેબુબા મુફ્તીએ વિવાદીત નિવેદન આપ્યું છે.
મહેબૂબા મુફ્તીના બગડ્યા બોલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું વિવાદીત નિવેદન
આતંકવાદીની ગોળીથી કોઇ મરે તો ખોટું કેમ: મુફ્તી
સોમવારે જમ્મુ કાશ્મીરના પુંછમાં આતંકવાદીઓએ સેના પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થઇ ગયા. હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વિવાદીત નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આપણા દેશની ગોળીથી કોઈ મરે છે તો ઠીક, પરંતુ આતંકવાદીની ગોળીથી કોઇ મરે તો ખોટું કેમ.
#WATCH | We meet kin of those who die due to militants' bullets. Recently,CRPF shot dead a person of ST community. Went to meet his family but house was locked. Yeh kaisa system hai inka,koi humare mulk ki goli se mare vo thik hai, militant ki goli se mare vo galat:Mehbooba Mufti pic.twitter.com/6plCKVEMGy
એક સભાને સંબોધિત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આપણે આતંકવાદીઓની ગોળીથી મરનારા પરિવારજોને મળીએ છીએ. હાલમાં જ CRPFએ ST સમાજના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આપણે તેમના પરિવારને મળવા ગયા પરંતુ તેમના ઘરે તાળુ લાગેલું હતું.
મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે, આ કેવી સિસ્ટમ છે એમની, કોઈ આપણા દેશની ગોળીથી મરે તો ઠીક છે, આતંકવાદીની ગોળીથી મરે તો તે ખોટું.