જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આ બિલ રાજ્યસભા અને લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરીથી હવે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે.
31 ઓક્ટોબરે અસ્તિત્વમાં આવશે 2 નવા UT
Jammu & Kashmir and Ladakh to come into existence as separate Union Territories on October 31. pic.twitter.com/5FrN5PKkSs
જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલે સંસદમાંથી પાસ થયા બાદ રાષ્ટ્રપતિએ પોતાની મહોર લગાવી દીધી છે, હવે 31 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં અસ્તિત્વમાં આવી જશે.
રાજ્યસભા અને લોકસભામાં પુનર્ગઠન બિલ થયું હતું પાસ
તાજેતરમાં જ 17 મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં આ બાબતનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે.
President Ram Nath Kovind gives his assent to The Jammu and Kashmir Reorganisation Act, 2019. pic.twitter.com/rbjgyLukVT
જ્યારે લદ્દાખને વિધાનસભા વગર જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. અનેક વિરોધી પક્ષોના વિરોધ છતાં મંગળવારે સાત કલાકની ચર્ચા બાદ સંસદમાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેના એક દિવસ પહેલા, રાજ્યસભામાં પણ બિલ પસાર કરવામાં આવેલ.
કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-37૦ નાબૂદ કરીને ઐતિહાસિક પગલું ભર્યું હતું. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આ અંગેની જાહેરાત કરી હતી. જોકે કોંગ્રેસ આ કલમ-370 હટાવવા અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ મુદ્દે ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે, પરંતુ પાર્ટીના ઘણા નેતાઓ મોદી સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. આ રીતે કોંગ્રેસમાં ભાગલા પડ્યા હોવાનું જણાઇ રહ્યું છે.