જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાએ જૈશના 1 આતંકીને ઠાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાના 3 જવાન ઘાયલ થયા હતા. સેનાએ આ એન્કાઉન્ટર બાદ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ
સેનાએ જૈશના એક આતંકીને ઠાર કર્યો
સેનાના 3 જવાન ઘાયલ
કુલગામના નાગનાદ ચિમ્મેર વિસ્તારમાં થઈ અથડામણ
જમ્મુ કાશ્મીરના કુલગામના નાગનાદ ચિમ્મેર વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ છે. સેના, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ થર્યુ હતું એ જૈશેના 1 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જોકે હજુ સુધી આતંકવાદીની ઓળખ થઈ શકી નથી.
સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. એ બાદ પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. તેની સામે આ ટીમે જવાબી કાર્યવાહી કરી હતી.
મરનારા આતંકી પાસેથી એકે 47 રાઈફલ મળી આવી હતી. આ પહેલા એલએસી પાસે પણ આતંકીની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે સેનાના ઘાટીમાં આતંકીના સફાયા ઓપરેશનમાં 131 આતંકીને ઠાર કર્યા છે.