કાશ્મીરમાં પ્રતિબંધોની ઘોષણાને આશરે 4 મહિના વીતી ગયા છે, પરંતુ ઘાટીમાં હજી પણ આવા લોકો છે જે પહેલી તક મળતા જ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં બેઠા છે. વિશેષ તપાસ ટીમ (SIT) ની તપાસમાંથી આ મામલો સામે આવ્યો છે.
કલમ 370 હટાવાયા બાદ થયો મોટો ખુલાસો
અસમાજિક તત્વોને પૈસા મળે તો ફરી મચાવી શકે તોફાન
આ અંડર કવર તપાસ એવા સમયે કરવામાં આવી છે જ્યારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 ની જોગવાઈઓને દૂર કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કડક નિયમોની ચર્ચા સમગ્ર વિશ્વમાં ચાલી રહી હતી.
અમિત શાહે સબ સલામતની કરી હતી વાત
આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને રાજ્યસભામાં એક નિવેદનમાં કહ્યું હતું કે મુશ્કેલીગ્રસ્ત પ્રદેશમાં સામાન્ય સ્થિતિ ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. તેનો અર્થ એ કે બધું સારું છે.
તપાસમાં થયો મોટો ખુલાસો
પરંતુ ઈન્ડિયા ટુડેની તપાસમાંથી જે બહાર આવ્યું છે તે કેન્દ્ર સરકારના આ નિવેદન સાથે મેળ ખાતું નથી. આ તપાસથી ઉદ્ભવેલ વાસ્તવિકતા પણ મહત્વપૂર્ણ છે કારણ કે વૈશ્વિક મીડિયા જમ્મુ-કાશ્મીરમાં નવી દિલ્હી દ્વારા લેવામાં આવેલા પગલાઓની ટીકા કરી રહ્યું છે.
ઘાટીના જુદા જુદા વર્ગોથી જોડાયેલા શંકાસ્પદ ભડકાવનારા તત્વો દેશની રાજધાની દિલ્હી ગયા, જેથી તેઓ હિંસક પ્રદર્શન માટે તેમની બ્લુ પ્રિન્ટની ચર્ચા કરી શકે.