આવતીકાલે બકરી ઈદ છે. ત્યારે બકરી ઈદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કાશ્મીર માટે મહત્વનો નિર્ણય લીધો છે. જમ્મૂમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે જ્યારે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં કલમ 144ને લઈને ઢીલ આપવામાં આવી છે. તો બકરી ઈદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને એલ પી જી અને શાકભાજી પહોંચાડવામાં આવી રહી છે.
એટલું જ નહીં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, રજાના દિવસે પણ ઘાટીમાં બેંકો ચાલુ રહેશે. જેથી કરીને સ્થાનિકોને મુશ્કેલી પડે નહીં. આ સિવાય અંદાજે 3500 જેટલી રાશનની દુકાનો પણ ખુલ્લી રહેશે. રાજ્યપાલે ઇદ ઉલ અજહાના તહેવાર પર લોકોને શુભકામના આપતા તેમની સલામતી અને સમૃદ્ધીની કામના કરી છે.
ખીણમાં પહેલાથી વધારે શાંતિ
કેન્દ્રીય મંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કલમ 370 હટ્યા બાદ કાશ્મીર ખીણમાં પહેલા કરતા શાંતિ છે. ત્યાંના સ્થાનિય લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. ઇદ પહેલા અહીં હાલત સામાન્ય છે. પહેલા આવા સમયે તણાવ વધી જતો હતો.
જમ્મૂ કાશ્મીરમાં ફરકાવવામાં આવશે તિરંગો
જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ભારતીય જનતા પાર્ટીએ ધૂમધામથી ઉજવવા માંગે છે. તેથી બીજેપીના પ્રદેશ એકમે દરેક પંચાયતમાં તિરંગો ફરકાવવા માટે સિલ્ક અને ખાદીના 50 હજાર ઝંડા દિલ્હીથી મંગાવ્યા છે. તેને કાર્યકર્તાઓ અને પંચાયતોને આપવામાં આવશે.
નવા બનેલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 15 ઓગસ્ટે 4 હજારથી વધારે પંચાયતોમાં તિરંગો ફરકાવવામાં આવશે. સ્વતંત્રતા દિવસે મોટા પ્રમાણમાં તિરંગો ફરકાવવાની યોજનાને ધ્યાનમા રાખીને કેન્દ્ર સરકારે જબરજસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. જેની આગેવાની ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમની ટીમ કરી રહી છે.
બકરી ઇદ પર ખુલ્લી રહેશે 3500 રાશની દૂકાન
બકરી ઇદને ધ્યાનમાં રાખીને 3500 રાશનની દુકાન ખુલ્લી રહેશે. તંત્ર તરફથી એલપીજી અને શાકભાજી ઘરો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂરી સામાન પણ પુરા પાડવામાં આવી રહ્યા છે. ખીણમાં રજાના દિવસે પણ બેન્ક ખુલ્લા રહેશે. બીજી તરફ તંત્રે લોકોને કોઇપણ પ્રકારની અફવાઓ-ભડકાઉ સમાચાર પર વિશ્વાસ ન કરવા માટે આગ્રહ કર્યો છે.