જમ્મૂ-કશ્મીરમાં ફરી એક વાર આતંકી હુમલો થયો છે. અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ અટેક કર્યો છે. આ ગ્રેનેડ હુમલામાં 10થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો
આતંકી હુમલામાં 10 લોકો ઘાયલ
ડીસી ઓફિસ બહાર ગ્રેનેડ બહાર કરાયો હુમલો
જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં ડીસી ઓફિસ પર સુરક્ષામાં તૈનાત કરેલા સુરક્ષા બળો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંકી ફરાર થઇ ગયા છે. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લીધો છે. સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Jammu & Kashmir: Grenade attack outside deputy commissioner's office in Anantnag; more details awaited https://t.co/Oznku8Qw6C
ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
અનંતનાગમાં આતંકીઓએ ડીસી ઓફિસ બહાર કરેલા ગ્રેનેડ હુમલામાં 10 લોકોને ઇજા પહોંચી છે. ગ્રેનેડ એટેકના ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વની વાત છે કે ગુપ્તચર વિભાગે આતંકી હુમલાને લઇને એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં સરહદ પારથી ભારતમાં આતંકી હુમલાનું કાવતરું રચાઇ રહ્યું હોવાનું જણાવાયું હતું.