જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગૃહરાજ્યમંત્રી અમિત શાહને મળવા તેમની ઓફિસે પહોંચ્યા હતા. શાહેને મળ્યા બાદ મલિકે કહ્યું કે, મેં તેમને રાજ્યના સ્થાનિક પરિસ્થિતિ, વિકાસ અને અન્ય બાબતો વિષયક જાણકારી આપી હતી.
સત્યપાલ મલિકે વધુમાં જણાવ્યું કે, અમે અમરનાથ યાત્રા કરાવવા માટે તૈયાર છીએ, લોકોને તમામ પ્રકારના સહયોગ સાથે ગતવર્ષની યાત્રાની જેમ જ આ વર્ષે પણ સફળતા પૂર્વક યાત્રા કરાવીશું.
આપને જણાવી દઇએ કે, અમિત શાહે દેશના નવા ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ગૃહમંત્રીના સ્વરૂપે અમિત શાહની સામે કાશ્મીર એક મોટો પડકાર છે. અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ આતંકવાદ, અલગાવવાદ અને નક્સલવાદ વિરૂદ્ધ મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિને નવી આશા સાંપડી છે.
Jammu & Kashmir Governor Satya Pal Malik: We are prepared for the Amarnath yatra, with people's support it will be successful like the last year. https://t.co/dmoR0ZJ2zM
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આતંકી તથા નક્સલી હિંસામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તે સંપુર્ણ રીતે સમાપ્ત થયું નથી. ત્યારે હવે વડાપ્રધાન મોદીને દાયકા જૂની આ સમસ્યાનો જડ મૂળથી ઉકેલ આવશે તેવો શાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ગઠબંધન તૂટ્યા બાદ કાશ્મીરમાં છે રાષ્ટ્રપતિ શાસન
જમ્મૂ-કશ્મીરમાં ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટતાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મૂ-કશ્મીરમાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટતાં રાજ્યપાલે તમામ પાર્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો હતો અને રાજ્યપાલ શાસન લાગુ કરવાની માગણી કરી હતી. મહત્વનું છે કે જમ્મૂ-કશ્મીરમાં 8મી વખત રાજ્યપાલ શાસન લાગુ થયું છે. રાજ્યપાલ શાસન 6 મહિના સુધી લાગુ રહેશે.